હિન્દુ ધર્મમાં સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ઘરની મહિલાઓને દુઃખ થાય છે ત્યારે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. બીજી તરફ જે ઘરમાં મહિલાઓ ખુશ રહે છે ત્યાં હંમેશા માતા લક્ષ્મી સહિત તમામ દેવતાઓનો વાસ હોય છે. આવી સ્થિતિમાં જો ઘરની મહિલા દ્વારા કેટલાક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ સિવાય માં લક્ષ્મી પ્રસન્ન રહીને ધનની વર્ષા કરે છે.
સુતા પહેલા કપૂર સળગાવો
દરરોજ સૂતા પહેલા આખા ઘરમાં કપૂર પ્રગટાવવું જોઈએ. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. આ સિવાય બેડરૂમમાં કપૂર સળગાવવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો નથી. તેમજ પરિવાર ખુશ રહે છે. આવી સ્થિતિમાં ઘરની સ્ત્રીએ આ કામ દરરોજ કરવું જોઈએ.
દક્ષિણ અને પશ્ચિમ ખુણામાં દીવો
રાત્રે સૂતા પહેલા ઘરની મહિલાએ ઘરના પશ્ચિમ અને દક્ષિણ ખૂણામાં દીવો પ્રગટાવવો જોઈએ. કહેવાય છે કે, જો આ દિશામાં પ્રકાશ હોય તો પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. જેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.
પૂજા સ્થાન પર દીવો
રાત્રે સુતા પહેલા મહિલાઓએ પૂજા સ્થાન પર દીવો કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સ્ત્રી દરરોજ આ કામ કરે છે, તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. તેની સાથે જ મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમને ધન અને અનાજના આશિર્વાદ આપે છે.
વડીલોની સેવા
જે ઘરમાં માતા-પિતા અને વડીલોની સેવાનું ધ્યાન રાખવામાં આવે છે, તે ઘરમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહે છે. એવામાં ઘરની મહિલાઓને સુતા પહેલા માતા-પિતા કે વડીલોની સેવા કરવી જોઈએ. સાથે જ તેમને સુવડાવ્યા બાદ જ ખુદ ઉંઘવું જોઈએ.
ધનની સમસ્યાનું થાય છે નિવારણ
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ કામોને કરવાથી ધન સાથે સંબંધિત સમસ્યાઓના નિવારણ થાય છે. માટે ઘરની મહિલાઓને રોજ આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.