સુરેન્દ્રનગરમાં મેઘરાજાએ થોડા દિવસનો બ્રેક લીધા બાદ હવે ફરી રીએન્ટ્રી કરી રહ્યા છે. જિલ્લાના વિવિધ વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ઘણા સમય પછી વરસાદનું આગમન થયું હતું ત્યારે લખતર ગામની અંદર એક કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો .
સતત એક કલાક ધોધમાર વરસાદ વરસતા લખતર ગામના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કાદેસરની બારી પાસેનો વિસ્તાર, ભરવાડવાસ, ખાળીયા વિસ્તારથી લઈને લક્ષ્મીપરા વિસ્તાર, મહાકાળી મંદિર પાછળના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાતા લોકોને અવર જવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.
રિપોર્ટ : વિજય જોષી, લખતર
Advertisement
Advertisement