દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવું. દિલ્હીથી જબલપુર માટે ઉડાન ભરતી વખતે વિમાનમાં કેબિનમાંથી ધુમાડો નીકળતા પાઈલોટે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, દિલ્હીથી જબલપુર જઈ રહેલું સ્પાઈસજેટનું વિમાન (SG-2962)શનિવારે સવારે ઉડાન ભર્યાની થોડી મીનિટોમાં પાછુ દિલ્હી એરપોર્ટ પર આવી ગયું હતું. જ્યારે વિમાન 5 હજાર ફુટની ઉંચાઈ પર પહોંચ્યું તો, પાયલટના કેબિનમાં ધુમાડો દેખાયો, ત્યાર બાદ વિમાનને પાછુ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરાવામાં આવ્યું હતું.
સ્પાઈસ જેટના પ્રવક્તાએ કહ્યું કે, તમામ મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા છે. આવું કેમ થયું એ વિશે કોઈ કારણ કહ્યું નથી. જોકે દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ તપાસની વાત કરી છે.
સમાચાર એજન્સી ANIના એક વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાનમાં ઘુમાડો દેખાઈ રહ્યો છે. અંદર બેઠેલા મુસાફરો ધુમાડાના ગોટાથી પરેશાન થઈ રહ્યા છે. મુસાફરો અખબારો અને એરલાઇન બુકલેટ દ્વારા ધુમાડાથી હવા ખાઈ રહ્યા છે.
#WATCH | A SpiceJet aircraft operating from Delhi to Jabalpur returned safely to the Delhi airport today morning after the crew noticed smoke in the cabin while passing 5000ft; passengers safely disembarked: SpiceJet Spokesperson pic.twitter.com/R1LwAVO4Mk
Advertisement— ANI (@ANI) July 2, 2022
તમને જણાવી દઈએ કે, 19 જૂનના રોજ દિલ્હીથી જબલપુર જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનમાં ટેકઓફ કર્યા બાદ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ પછી IGI એરપોર્ટ ટર્મિનલ-1 પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તે સમયે પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 82 મુસાફરો સવાર હતા.