વાસ્તુ શાસ્ત્રમાં ઘરના દરેક જરૂરી સામાનને રાખવાની યોગ્ય દિશા અને તેના ઉપયોગને લઈને કેટલીક જરૂરી વાતો કહેવામાં આવી છે. જો આ ચીજો વાસ્તુના અનુસાર યોગ્ય દિશામાં યોગ્ય રીતે રાખવામાં આવે તો તે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.
જ્યારે તેમાં ગડબડી ઘણા પ્રકારના નુકસાન અને મુસીબતોનું કારણ બને છે. કચરો રાખવાની કચરાપેટી કે ડસ્ટિન આ અહમ ચીજોમાંથી એક છે.
જો કચરાપેટીને યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે તો તે ઘરના સભ્યો માટે પરેશાનીનું કારણ બની શકે છે. જાણીએ વાસ્તુ શાસ્ત્રના અનુસાર ડસ્ટબિનને રાખવાની યોગ્ય દિશા શું છે-
ડસ્ટબિન રાખવાની દિશા અને તેની અસર
1- વાસ્તુ શાસ્ત્રના અનુસાર ઘરમાં કચરાપેટીને ક્યારેય પણ ઉત્તર-પૂર્વમાં ન રાખવી જોઈએ. આમ કરવાથી ઘરના સભ્યોને માનસિક તણાવ આપે છે. સાથે જ તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. કારણ કે આ દિશામાં દેવી-દેવતાઓનો વાસ હોય છે.
2- ઘરના દક્ષિણ-પૂર્વમાં રાખવામાં આવેલા ડસ્ટબીન ઘરના લોકોની જમાપૂંજી ખતમ કરી દે છે. આ પૈસાને ઘરમાં ટકવા જ નથી દેતા. કેટલાક મામલામાં તો આ દેવાનું કારણ પણ બની શકે છે.
3- ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં પણ ડસ્ટબિન રાખવાની ભૂલ ન કરો. આમ કરવાથી ઘરના સભ્યોની પ્રગતિ અટકાઈ જાય છે. તેમને નવી તકો નથી મળતી.
4-એવામાં ડસ્ટબિન રાખવાની સૌથી યોગ્ય દિશા છે દક્ષિણ કે દક્ષિમ-પશ્ચિમ દિશા. તદ્દપરાંત ઉત્તર-પશ્ચિમ દિશામાં પણ કચરાપેટી રાખી શકો છો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
આ વાતોનું પણ ધ્યાન રાખવું
ડસ્ટબિનને લઈને એમ પણ ધ્યાન રાખો કે નિયમિત રીતે કચરો ફેંકતા રહો. ઘરમાં કચરાનો ઢગલો ન કરો. ડસ્ટબિનને ઢાંકીને રાખો, નહીંતર તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.