કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમના ટ્વિટર ફોલોઅર્સ સતત ઘટી રહ્યા છે. છેલ્લા સાત મહિનામાં તેમના ફોલોઅર્સની સંખ્યામાં લગભગ ચાર લાખનો વધારો થયો હતો, પરંતુ ઓગસ્ટ 2021થી તેમના ફોલોઅર્સની સંખ્યા સતત ઘટી રહી છે.
રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે ટ્વિટરને એક પત્ર પણ લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે, ટ્વિટર મોદી સરકારના દબાણમાં કામ કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ 27 ડિસેમ્બર 2021ના રોજ ટ્વિટરને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે ટ્વિટર એકાઉન્ટનો ડેટા પણ શેર કર્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા શશિ થરૂરની સાથે સરખામણી કરવામાં આવી છે. હવે ટ્વિટરે આ પત્રનો જવાબ આપ્યો છે.
ટ્વિટરે આપ્યો સ્પૈમનો હવાલો
ટ્વિટરે રાહુલ ગાંધીના પત્રના જવાબમાં કહ્યું છે કે, અમે પણ ઈચ્છીએ છીએ કે એકાઉન્ટ સાથે ફોલોઅર્સની સંખ્યા દર્શાવવામાં આવે, પરંતુ અમે એ પણ માનીએ છીએ કે ફોલોઅર્સ વાસ્તવિક હોય. ટ્વિટરની પાસે મેનીપ્યુલેશન અને સ્પૈમ માટે કોઈ સ્થાન નથી. અમે મશીન લર્નિંગ ટૂલ્સ દ્વારા દર અઠવાડિયે મોટા પાયે બૉટ ફોલોઅર્સ અને સ્પૈમનું સૉર્ટિંગ કરીએ છીએ. આ સ્થિતિમાં ફોલોઅર્સની સંખ્યા ઘટી શકે છે.
રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2021માં તેમના ફોલોઅર્સની સંખ્યામાં 54,803નો ઘટાડો થયો છે, જ્યારે સપ્ટેમ્બરમાં 1,327, ઓક્ટોબરમાં 2,380 અને નવેમ્બરમાં 2,788નો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ પીએમ મોદીના ફોલોઅર્સ વધ્યા છે, જેમની સંખ્યા સંખ્યા લગભગ 30 લાખ છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ટ્વિટર પર મારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યા 19.6 મિલિયન છે.