जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • President Election: ભારતના રાષ્ટ્રપતિને કેટલો મળે છે એક મહિનાનો પગાર?, નિવૃત્તિ બાદ મળે છે આ સુવિધાઓ
slider news જાણવા જેવું

President Election: ભારતના રાષ્ટ્રપતિને કેટલો મળે છે એક મહિનાનો પગાર?, નિવૃત્તિ બાદ મળે છે આ સુવિધાઓ

10/06/2022
Share0

President Election: ચૂંટણી પંચે ગુરુવારે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. 18મી જુલાઈએ ચૂંટણી યોજાશે અને 21મી જુલાઈએ મતગણતરી થશે. ઈલેક્ટોરલ કોલેજમાં 4,809 સાંસદો અને ધારાસભ્યો હશે જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અનુગામીની પસંદગી કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. આ પહેલા નવા રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવશે. જો કે, અત્યાર સુધી કોઈપણ રાજકીય પક્ષે ટોચના બંધારણીય પદ માટે તેમના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી.

રાષ્ટ્રપતિની ચૂંટણી

આજે અમે તમને રાષ્ટ્રપતિ પદ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ અને રસપ્રદ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. રાષ્ટ્રપતિ ભારતના વડા હોવાની સાથે-સાથે ભારતના પ્રથમ નાગરિક પણ હોય છે. ભારતના રાષ્ટ્રપતિ ભારતીય સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ પણ હોય છે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચૂંટણી મંડળના સભ્યો દ્વારા કરવામાં આવે છે, જેમાં સંસદના બંને ગૃહો, રાજ્યોની વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે.

Advertisement

રાષ્ટ્રપતિ ભવન

રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે. ભારતનું રાષ્ટ્રપતિ ભવન એ વિશ્વનું સૌથી મોટું રાષ્ટ્રપતિ ભવન છે. ભારતના રાષ્ટ્રપતિના પગાર અને ભથ્થાઓ ભારતની સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. ચાલો રાષ્ટ્રપતિના પગાર પર એક નજર કરીએ.

ભારતમાં રાષ્ટ્રપતિનો પગાર

Advertisement

ભારતના રાષ્ટ્રપતિનો પગાર દર મહિને 5 લાખ રુપિયા જેટલો હોય છે. ભારતના રાષ્ટ્રપતિને માસિક પગાર ઉપરાંત અનેક ભથ્થાઓ પણ મળે છે. અહીં કેટલાક લાભો જણાવીશું.

આવાસ

રાષ્ટ્રપતિ ભવન એ ભારતના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છે. નવી દિલ્હીમાં સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં 340 રૂમ અને 2,00,000 ચોરસ ફૂટનો ફ્લોર એરિયા છે.

Advertisement

તબીબી સુવિધાઓ

ભારતના રાષ્ટ્રપતિ જીવનભર મફત તબીબી સેવાઓ માટે હકદાર છે.

સુરક્ષા

Advertisement

ભારતના રાષ્ટ્રપતિ કસ્ટમ-બિલ્ટ બ્લેક મર્સિડીઝ બેન્ઝ S600 (W221) પુલમેન ગાર્ડને હક્કદાર હોય છે. રાષ્ટ્રપતિની પાસે સત્તાવાર યાત્રાઓ માટે શસ્ત્રોથી સજ્જ લાંબી ગાડી લિમોઝિન પણ સાથે હોય છે.

નિવૃત્તિ પછી કેટલું પેન્શન મળે છે?

ભારતના રાષ્ટ્રપતિ નિવૃત્તિ પછી ઘણા ભથ્થા મેળવવા માટે હકદાર હોય છે. નિવૃત્તિ બાદ તેમને દર મહિને 1.5 લાખ રૂપિયા પેન્શન તરીકે મળે છે. તેની સાથે જ રાષ્ટ્રપતિના જીવનસાથીને દર મહિને 30,000 રૂપિયાની સચિવ સહાયતા મળે છે. પેન્શનની સાથે તેમને એક ફર્નિશ્ડ રેન્ટ ફ્રી બંગલો (ટાઈપ VIII) પણ આપવામાં આવે છે. આ સાથે બે ફ્રી લેન્ડલાઈન અને એક મોબાઈલ ફોન આપવામાં આવે છે.

Advertisement

આટલું જ નહીં, નિવૃત્ત થયા પછી તેમને પાંચ ખાનગી કર્મચારીઓ અને સ્ટાફનો ખર્ચ 60,000 રૂપિયાનો પ્રતિ વર્ષ ખર્ચ આપવામાં આવે છે. સાથે જ ટ્રેન કે હવાઈ મુસાફરીમાં એક સાથીની સાથે મફત મુસાફરી પણ આપવામાં આવે છે.

 

 

Advertisement
Advertisement

#facilities#India#president#presidentelection#salary
Share0
પાછલી પોસ્ટ
ગુજરાત એસટી કર્મચારીઓનું આંદોલન સ્થગિત, આ માંગણીઓ સ્વીકારી લેવાઈ
આગળની પોસ્ટ
Corona Update: દેશમાં ફરી એકવાર કોરોનાએ વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7,584 કેસ

Related posts

Breaking News: મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું, ફેસબૂકના માધ્યમથી જાહેરાત

paras joshi29/06/2022

Breaking News : ઉદ્ધવ ઠાકરેએ હાર સ્વીકારી? ફ્લોર ટેસ્ટ પહેલા આપી શકે છે રાજીનામું : સૂત્ર

paras joshi29/06/202229/06/2022

એશિયામાં નાટોના વિસ્તરણથી સંઘર્ષ વધશે, ચીને આપી ચેતવણી

paras joshi29/06/202229/06/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

Alia Bhatt Pregnancy: પ્રેગ્નેન્સીની આવી ખબર પર ભડકી આલિયા ભટ્ટ, કહ્યું- ‘હું એક મહિલા છું, પાર્સલ નહીં’

malay kotecha29/06/2022
29/06/20220

TMKOC: ‘મહેતા સાહેબ’ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શૉ Taarak Mehta Ka Ooltah Chashmah, જાણો કારણ

malay kotecha28/06/202228/06/2022
28/06/202228/06/20220

Alia Bhatt Pregnant: આલિયા ભટ્ટે ફેન્સને આપ્યા GOOD NEWS, હોસ્પિટલમાંથી ફોટો કર્યો શેર; બે મહિના પહેલા રણબીર કપૂર સાથે થયા...

malay kotecha27/06/2022
27/06/20220

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220

Sunil Shetty Business: રેસ્ટોરન્ટથી લઈને શોરૂમના માલિક છે શેટ્ટી અન્ના, આ બિઝનેસથી કમાય છે દર મહિને કરોડો રૂપિયા

malay kotecha25/06/202225/06/2022
25/06/202225/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

Breaking News: મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું, ફેસબૂકના માધ્યમથી જાહેરાત

paras joshi29/06/2022
29/06/20220

Breaking News : ઉદ્ધવ ઠાકરેએ હાર સ્વીકારી? ફ્લોર ટેસ્ટ પહેલા આપી શકે છે રાજીનામું : સૂત્ર

paras joshi29/06/202229/06/2022
29/06/202229/06/20220

એશિયામાં નાટોના વિસ્તરણથી સંઘર્ષ વધશે, ચીને આપી ચેતવણી

paras joshi29/06/202229/06/2022
29/06/202229/06/20220

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ

paras joshi29/06/2022
29/06/20220

RIP! કન્હૈયાએ લીધી અંતિમ વિદાય, દુઃખ અને ગુસ્સા વચ્ચે અંતિમ સંસ્કાર

paras joshi29/06/2022
29/06/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો