जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • કરંટ અફેર્સ
  • PAASના કન્વિનર અલ્પેશ કથીરિયાની ધરપકડ
કરંટ અફેર્સ પોલીટીક્સ

PAASના કન્વિનર અલ્પેશ કથીરિયાની ધરપકડ

08/01/2020
Share0

સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર અલ્પેશ કથીરિયાની અંતે પોલીસે ધરપકડ કરી છે. સુરત પાસેના વેલંજા ગામમાં એક મિત્રના લગ્નમાં હાજરી આપવા આવેલા અલ્પેશ કથીરિયાને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. 

અલ્પેશ કથીરિયાએ પોલીસ સાથે ગેરવર્તન કરતાં અમરોલી રાજદ્રોહ કેસમાં તેના શરતી જામીન રદ થયા હતા. છેલ્લા ઘણા દિવસોથી પોલીસ વિવિધ જગ્યાએ તેને શોધતી હતી અને આજે તે ઝડપાઈ ગયો હતો. અલ્પેશ કથીરિયા સામે કુલ 5 ગુના નોંધાયા છે.

અમરોલી રાજદ્રોહના કેસમાં 3 મહિના અને 20 દિવસ જેલમાં રહ્યા બાદ અલ્પેશ કથીરિયાને જામીન મળ્યા હતા. જામીન મળ્યાના થોડા દિવસોમાં અલ્પેશ કથીરિયાનો વરાછામાં ટ્રાફિક પોલીસ સાથે ટકરાવ થયો હતો. 
તેના પગલે અલ્પેશે વરાછા પોલીસ સ્ટેશનમાં જઈને ધમાલ મચાવતાં અલ્પેશ સામે એક સાથે 5 ગુના નોંધાયા હતા. તેના આધારે પોલીસે સેશન્સ કોર્ટમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. આ અરજી સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી. ત્યાર બાદ ધરપકડ ટાળવા માટે અલ્પેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

Advertisement

પોલીસે તેને પકડવા માટે તેના ગામ અને સગા સંબંધીઓના ઘરે સર્ચ કરીને તેમના જવાબ લીધા હતા. આ દરમિયાન આજે સોમવારે અલ્પેશ સુરતના વેલંજા ખાતે મિત્રના લગ્નમાં આવ્યો હોવાથી જાણ થતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. 

અલ્પેશ કથીરિયા પોલીસ પકડથી દૂર હતો અને પોલીસ દ્વારા તેના ગામ અને સગા સંબંધીઓના ઘરે સર્ચ કરીને તેમના જવાબ લેવામાં આવતા સોશિયલ મીડિયામાં બે ઓડિયો ક્લિપ વાઈરલ કરી હતી. બીજી તરફ અલ્પેશે ધરપકડ ટાળવા માટે વકીલ મારફત હાઈ કોર્ટમાં બચાવ માટે ક્રીમિનલ રિવિઝન અરજી કરી હતી, જે હાલ પેન્ડિંગ છે. 

પાસના  કાર્યકરોએ અલ્પેશને જામીન મળે તે માટે ગવર્નર ઓ.પી. કોહલીને પત્ર લખીને મદદ માંગી હતી. જોકે, ત્યાર બાદ ‘પાસ’ના બે આગેવાનો દ્વારા આમરણાંત ઉપવાસ પણ કરવામાં આવી રહ્યા છે. ગત રોજ ઉપવાસ પર ઉતરેલા ધાર્મિક માલવિયાની તબિયત પણ લથડી હતી. તેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Share0
પાછલી પોસ્ટ
કોંગ્રેસ વર્કિંગ કમિટીની 26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં બેઠક
આગળની પોસ્ટ
પુલવામા હુમલા પર પાકિસ્તાની પીએમ ઇમરાનનું મોટું નિવેદન, યુદ્ધની આડકતરી ધમકી આપી

Related posts

ખેડૂતોની મદદ માટે વિશેષ ઝૂંબેશના શ્રીગણેશ, PM મોદીએ 100 કિસાન ડ્રોનનું કર્યું ઉદ્ધાટન; કહ્યું- કૃષિ ક્ષેત્રનો નવો અધ્યાય શરૂ

malay kotecha19/02/2022

વિજય સુવાળાએ ‘ઝાડું’ છોડી ‘કમળ’ ધારણ કર્યું, કહ્યું- હું મારા ઘરે પરત ફર્યો છું

ravi chaudhari17/01/2022

Assembly Election 2022: અત્યારસુધી આટલા મંત્રીઓ અને ધારાસભ્યો ભાજપ છોડી ચૂક્યા, અહીં જાણો સંપૂર્ણ યાદી

ravi chaudhari13/01/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022
09/08/202209/08/20220

બનાસકાંઠા : ડીસાના સદરપુર ગામ નજીક બનાસ નદીમાં ધોધમાર વરસાદના પગલે નવા નીર આવ્યા

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

બનાસકાંઠા : ડીસાના રાણપુરમાં એકસાથે બે મંદિરમાં ચોરી થતા ખળભળાટ

paras joshi09/08/2022
09/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો