जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • National Herald Case: EDની ઓફિસમાં રાહુલ ગાંધીની પૂછપરછ શરુ, શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
slider news ભારત

National Herald Case: EDની ઓફિસમાં રાહુલ ગાંધીની પૂછપરછ શરુ, શું છે નેશનલ હેરાલ્ડ કેસ?

13/06/2022
Share0

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા છે. નેશનલ હેરાલ્ડ કેસના સંદર્ભમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી હવે 23 જૂને હાજર થવાના છે. સોનિયા ગાંધી હાલમાં કોરોનાથી સંક્રમિત છે અને હોસ્પિટલમાં દાખલ છે.

સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધ શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ નેશનલ હેરાલ્ડ કેસ શું છે? સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આમાં કેવી રીતે ફસાયા?

પહેલા જાણી લો શું છે નેશનલ હેરાલ્ડ?

Advertisement

દેશના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરુએ 20 નવેમ્બર 1937ના રોજ એસોસિએટેડ જર્નલ લિમિટેડ (AJL)ની રચના કરી હતી. તેનો હેતુ અલગ-અલગ ભાષાઓમાં અખબારો પ્રકાશિત કરવાનો હતો. ત્યારબાદ AJL હેઠળ અંગ્રેજીમાં નેશનલ હેરાલ્ડ, હિન્દીમાં નવજીવન અને ઉર્દૂમાં કૌમી આવાઝ અખબારો પ્રકાશિત થયા.

ભલે AJLની રચનામાં પં. જવાહર લાલ નેહરુની ભૂમિકા હતી, પરંતુ તેના પર માલિકીનો હક ક્યારેય તેમનો ન રહ્યો. કારણ કે આ કંપનીને 5000 સ્વાતંત્ર્ય સેનાની સપોર્ટ કરી રહ્યા હતા અને તેઓ તેના શેર હોલ્ડર પણ હતા. 90ના દાયકામાં આ અખબાર ખોટમાં આવવા લાગ્યું. વર્ષ 2008 સુધીમાં AJL પર 90 કરોડ રુપિયાથી વધુનું દેવું હતું. ત્યારે AJLએ નિર્ણય લીધો કે હવે અખબારો પ્રકાશિત કરવામાં આવશે નહીં. અખબારોનું પ્રકાશન બંધ કર્યા બાદ એસોસિએટેડ જર્નલ લિમિટેડ (AJL)પ્રોપર્ટીના બિઝનેસમાં ઉતરી.

તો વિવાદ ક્યાંથી શરુ થયો?

Advertisement

2010માં AJLની પાસે 1057 શેરધારકો હતા. નુકસાન થતાં તેનું હોલ્ડિંગ યંગ ઈન્ડિયા લિમિટેડ એટલે કે YILને ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. યંગ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના એ જ વર્ષે એટલે કે 2010માં થઈ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીના તત્કાલિન મહાસચિવ રાહુલ ગાંધી ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કંપનીમાં 76 ટકા હિસ્સો હતો. બાકીનો 24 ટકા કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિસ (બંનેના નિધન થઈ ચૂક્યા છે)ની પાસે હતો.

શેર ટ્રાન્સફર થતાં જ AJLના શેર હોલ્ડર્સ સામે આવ્યા. પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણ, અલ્હાબાદ અને મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ માર્કંડેય કાત્જુ સહિતના કેટલાક શેરધારકોએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે YILએ AJLનું ‘અધિગ્રહણ’ કર્યું ત્યારે તેમને કોઈ નોટિસ આપવામાં આવી ન હતી. એટલું જ નહીં, શેર ટ્રાન્સફર કરતા પહેલા શેરધારકોની સંમતિ પણ લેવામાં આવી ન હતી. તમને જણાવી દઈએ કે, શાંતિ ભૂષણ અને માર્કંડેય કાત્જુના પિતાના નામે AJLમાં શેર હતા.

પછી કેસ નોંધાયો

Advertisement

2012માં ભાજપના નેતા અને દેશના જાણીતા વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ મામલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ, પત્રકાર સુમન દુબે અને ટેકનોક્રેટ સામ પિત્રોડા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હતી.

સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો હતો કે, YILએ 2,000 કરોડથી વધુની સંપત્તિ અને લાભ મેળવવા માટે ”ખોટી રીતે” નિષ્ક્રિય પ્રિન્ટ મીડિયા આઉટલેટ્સની સંપત્તિને ”હસ્તગત” કરી હતી.

સ્વામીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, YILએ 90.25 કરોડ રુપિયાની વસુલીનો અધિકાર મેળવવા માટે માત્ર 50 લાખ રુપિયાની ચૂકવણી કરી હતી, જે AJL પર કોંગ્રેસ પાર્ટીનું લેણું હતું. આ રકમ અગાઉ અખબાર શરૂ કરવા માટે લોન તરીકે આપવામાં આવી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, AJLને આપવામાં આવેલી લોન “ગેરકાયદેસર” હતી, કારણ કે તે પાર્ટી ફંડમાંથી આપવામાં આવી હતી.

Advertisement

EDની તપાસ, કોર્ટેમાંથી સોનિયા ગાંધી-રાહુલ ગાંધીને જામીન

2014માં જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ મામલાની તપાસ શરૂ કરી હતી. આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર કાર્યવાહીની તલવાર લટકી રહી હતી. જેથી બંને કોર્ટમાં પહોંચ્યા હતા. આ કેસમાં 19 ડિસેમ્બર 2015ના રોજ ટ્રાયલ કોર્ટે બંનેને જામીન આપ્યા હતા. 2016માં સુપ્રીમ કોર્ટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિસ અને સુમન દુબેને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી હતી, તેમની સામેની કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. હવે આ કેસમાં EDએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.

Advertisement
Advertisement

#nationalHeraldCase#rahulgandhi#Sonia#Update
Share0
પાછલી પોસ્ટ
સાબરકાંઠામાં ગામોની મિલકતોનું ડ્રોન દ્વારા સર્વેક્ષણ હાથ ધરાયું, મિલકત ધારકોને અપાશે પ્રોપર્ટી કાર્ડ
આગળની પોસ્ટ
પલંગ પર પાથરતા જ બરફ જેવી ઠંડી થઈ જાય છે આ ચાદર, પંખો ચાલુ કરવાની પણ નહીં પડે જરૂર

Related posts

નર્મદાઃ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ 13મીએ આવશે ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત; તાલુકા ભાજપના કાર્યકર્તાઓની યોજાઈ બેઠક

malay kotecha07/07/202207/07/2022

VIDEO: રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામના એક કોમ્પલેક્ષ જોવા મળી વિદેશી દારૂની ખાલી બોટલો, દારૂબંધીના કાયદાના ધજાગરા!

malay kotecha07/07/2022

નર્મદા : રાજપીપળામાં અનિયમિત બસોના ધાંધિયાથી વિદ્યાર્થીઓ પરેશાન, કર્યો ચક્કાજામ

paras joshi07/07/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

રાજપાલ યાદવની વધી મુશ્કેલીઓ, ઈન્દોર પોલીસે અભિનેતા વિરુદ્ધ જારી કરી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

malay kotecha02/07/2022
02/07/20220

Alia Bhatt Pregnancy: પ્રેગ્નેન્સીની આવી ખબર પર ભડકી આલિયા ભટ્ટ, કહ્યું- ‘હું એક મહિલા છું, પાર્સલ નહીં’

malay kotecha29/06/2022
29/06/20220

TMKOC: ‘મહેતા સાહેબ’ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શૉ Taarak Mehta Ka Ooltah Chashmah, જાણો કારણ

malay kotecha28/06/202228/06/2022
28/06/202228/06/20220

Alia Bhatt Pregnant: આલિયા ભટ્ટે ફેન્સને આપ્યા GOOD NEWS, હોસ્પિટલમાંથી ફોટો કર્યો શેર; બે મહિના પહેલા રણબીર કપૂર સાથે થયા...

malay kotecha27/06/2022
27/06/20220

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

નર્મદાઃ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ 13મીએ આવશે ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત; તાલુકા ભાજપના કાર્યકર્તાઓની યોજાઈ બેઠક

malay kotecha07/07/202207/07/2022
07/07/202207/07/20220

VIDEO: રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામના એક કોમ્પલેક્ષ જોવા મળી વિદેશી દારૂની ખાલી બોટલો, દારૂબંધીના કાયદાના ધજાગરા!

malay kotecha07/07/2022
07/07/20220

નર્મદા : રાજપીપળામાં અનિયમિત બસોના ધાંધિયાથી વિદ્યાર્થીઓ પરેશાન, કર્યો ચક્કાજામ

paras joshi07/07/2022
07/07/20220

મહેસાણા : વિજાપુરમાં પહોંચી વંદે ગુજરાત વિકાસયાત્રા

paras joshi07/07/2022
07/07/20220

આણંદ જિલ્લાના ઉમરેઠમાં ચોરોનો તરખાટ, 2 મકાનોમાં કર્યો હાથફેરો

paras joshi07/07/2022
07/07/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો