जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • નર્મદા : રાજપીપળામાં અનિયમિત બસોના ધાંધિયાથી વિદ્યાર્થીઓ પરેશાન, કર્યો ચક્કાજામ
slider news ગુજરાત દક્ષિણ ગુજરાત નર્મદા

નર્મદા : રાજપીપળામાં અનિયમિત બસોના ધાંધિયાથી વિદ્યાર્થીઓ પરેશાન, કર્યો ચક્કાજામ

07/07/2022
Share0

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં અપડાઉન કરતા ગ્રામ્યવિસ્તારના વિદ્યાર્થીઓમાટે અપૂરતી અને અનિયમિત બસોના કાયમી ધાંધિયા જુલાઈ માસ થી શાળા કોલજો ખુલ્યા પછી શરૂ થઈ જાય છે જેનું કાયમી સોલ્યુશન થતું નથી. ગામડાની બસો નિયમિત ન આવતી હોવાથી મોડા પડતા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે. શાળામાં એક કે બેકલાક મોડા આવે તો પાડાના વાંકે વિદ્યાર્થીઓને શિક્ષા પણ ભોગવવી પડે છે. પણ જવાબદાર એસટી તંત્ર અને વહીવટી તંત્રઆનો કાયમી ઉકેલ લાવતા નથી. જેને કારણે દર વર્ષે વિદ્યાર્થીઓને સહન કરવું પડે છે.જેને કારણે રાજપીપલા અપડાઉન કરતા વિધાર્થીઓની હાલત કફોડી બની છે.

અગાઉ ડેપોના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ બસો નિયમિત ન આવતી નથી અને જે બસો આવે છે એમાં બેસાડતા ના હોવાની વ્યથાથી અંતે કંટાળેલા વિદ્યાર્થીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવું પડ્યું હતું. રાજપીપલા ખાતે વિદ્યાર્થીઓએ દ્વારા એક કલાકસુધી  ચક્કાજામકરી સૂત્રોચ્ચાર કરી વિરોધ કરતા એસટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. જોકે બાદ ટ્રાફિક ઇન્ચાર્જ ડી.ડી. રાવલ રા લેખીત બાંહેધરી આપતાં અને પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

અગાઉ અનેક રજૂઆત બાદ પણ ધાર્યું પરિણામ ન આવતા કંટાળેલા વિદ્યાર્થીઓ દ્વાર નારે બાજી કરી ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો.  નર્મદા જીલ્લાના ડુંગર વિસ્તારમાં આવેલ નામલગઢ અને ગાગર તરફથી રાજપીપળા ખાતે અપડાઉન કરીને 100 જેટલાં વિધાર્થીઓ શાળા કોલેજમા અભ્યાસ કરી રહયા છે. તમામ શાળાઓ સવારે લગભગ 11 કલાકે પોતાનુ શૈક્ષણિક કામકાજ શરૂ કરતી હોય છે, ત્યારે પોતાના ઘરેથી વિધાર્થીઓ નવ સાડા નવ વાગે નીકળી નામલગઢ સ્ટેન્ડ પર આવે છે.પરંતું એસ. ટી. તંત્ર દ્વારા દોડાવવામાં આવતી બસ નામલગઢ તો આવતી જ નથી. અને વિદ્યાર્થીઓ બસ સ્ટોપ ઉપર ઉભેલા હોય તો પણ કેટલીક બસોના ડ્રાઈવર ઊભી રાખતા નથી!! બસનો અનિયમિતતાના કારણે વિધાર્થીઓ કેટલીક વાર મોડા પડતાં શાળામા પ્રવેશ પણ મળતો નથી, અને તેના કારણે પોતાનું ભણતર બગડતું હોવાનો આરોપ વિધાર્થીઓએ લગાવ્યો હતો.

Advertisement

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ અંગે અગાઉ પણ વિદ્યાર્થીઓ દ્વારા એસટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેનું પરિણામ શૂન્ય આવ્યું હતું. વારંવાર બસોની અનિયમિતતાથી કંટાળેલા વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા ઉપર બેસી નારેબાજી કરી ચક્કાકામ કરી દેવામાં આવ્યો હતો અને જ્યાં સુધી બસ સમયસર ન આવે ત્યાં સુધી આંદોલન કરાશે એમ વિધાર્થીઓએ જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ડેપો અધિકારી સહિત ટાઉન પોલીસ બસ ડેપો પર આવી પહોંચી હતી અને રસ્તા ઉપર બેસેલા વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરતા આખરે ડેપો તંત્ર વતી ટ્રાફિક ઇન્ચાર્જ દ્વારા લેખિત બાંહેધરી આપતા અને પોલીસની સમજાવટ બાદ એક કલાક જેટલા સમય પછી મામલો થાળે પડ્યો હતો.

એસપીરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા જિલ્લામાં ભણતર માટે જો વિદ્યાર્થીઓએ આંદોલન કરવું પડતું હોય તો એ તંત્ર માટે શરમજનક કહેવાય. જિલ્લા કલેકટર, એસટી તંત્રના અધિકારીઓ, શાળા કોલેજના આચાર્યની તાકીદની મિટિંગ બોલાવે અને જેતે શાળામાં મોડા આવતા વિધાર્થીઓની કઈ બસો સમયસર આવતી નથી તેનો સર્વે કરાવી જરૂરી બસો સમયસર જેતે રૂટ પર દોડતી થાય એ તંત્રના જવાબદાર અધિકારીઓ એ જોવું જોઈએ. તોજ એનો કાયમી ઉકેલ આવી શકે.

 

Advertisement

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share0
પાછલી પોસ્ટ
મહેસાણા : વિજાપુરમાં પહોંચી વંદે ગુજરાત વિકાસયાત્રા
આગળની પોસ્ટ
VIDEO: રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામના એક કોમ્પલેક્ષ જોવા મળી વિદેશી દારૂની ખાલી બોટલો, દારૂબંધીના કાયદાના ધજાગરા!

Related posts

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220

છૂટાછેડા પછી પણ પોતાની પત્નીઓને દર અઠવાડિયે મળવા જાય છે આમિર ખાન, કારણ જાણીને ચકરાઈ જશે મગજ

vidhata gothi03/08/2022
03/08/20220

લગ્નના 3 મહિનામાં જ આલિયા ભટ્ટને થઈ ગઈ રણબીર કપૂર સાથે સમસ્યા, બધાની સામે કરવા લાગી ફરિયાદ

vidhata gothi02/08/2022
02/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022
07/08/20220

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022
07/08/202207/08/20220

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022
07/08/20220

સુરેન્દ્રનગર : લખતરના ગામડાઓમાંથી પીજીવીસીલીએલ વિજિલન્સ વિભાગ દ્વારા વીજચોરી પકડી પાડી

paras joshi07/08/2022
07/08/20220

CWG 2022: ભારતને મળ્યો 10મો ગોલ્ડ મેડલ, રવિ દહિયાએ કુસ્તીમાં જીત્યો ગોલ્ડ

paras joshi06/08/2022
06/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો