जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • Stock Marketની ઉથલપાથલની વચ્ચે ફસાયો LICનો IPO, જાણો સરકારે શું કહ્યું
slider news ઈકોનોમી

Stock Marketની ઉથલપાથલની વચ્ચે ફસાયો LICનો IPO, જાણો સરકારે શું કહ્યું

23/02/202223/02/2022
Share0

શેર માર્કેટમાં ચાલી રહેલી ઉથલપાથલ અને રશિયા-યુક્રેનના તણાવ વચ્ચે સરકાર Life Insurance Corp. of India (LIC)નો IPO લાવવા માટે પ્રતિબદ્ધ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, સરકાર પોતાની યોજનામાં કોઈ ફેરફાર કરશે નહીં અને IPO સમય પર જ ઉતારવામાં આવશે.

સીતારમણે કહ્યું કે, LICના IPOને લઈને માર્કેટમાં ઉત્સાહ છે અને અમે તેની સાથે આગળ વધી રહ્યા છીએ. વૈશ્વિક સ્થિતિના કારણે બજાર પર પડતી અસરને લઈને અમે પણ ચિંતિત છીએ. શું વર્તમાન ઉતાર-ચઢાવને જોતા IPOની તારીખ મોકૂફ રાખી શકાય છે? આ પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે, રોકાણકારો આ આઈપીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને અમે તેનો ફાયદો ઉઠાવવાની પૂરી તૈયારીમાં છીએ.

NSE Scam પર બોલવાનો ઇનકાર

Advertisement

જ્યારે નાણામંત્રીને પ્રેસ કોન્ફરન્સમાં NSEના પૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણ સાથે સંબંધિત વિવાદો પર સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, તેની તપાસ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે છે અને જ્યારે સુધી તેમની પાસે સંપૂર્ણ વિગતો ન આવે, ત્યાં સુધી તેઓ આ વિશે કઈ કહી શકશે નહીં.

દેશનો સૌથી મોટો IPO આવવાનો છે. તાજેતરના અહેવાલ પ્રમાણે, ભારતીય જીવન વીમા નિગમ (LIC) તેને 11 માર્ચે રજૂ કરી શકે છે. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તે એન્કર રોકાણકારો માટે 11 માર્ચે ખુલશે. જ્યારે અન્ય રોકાણકારો માટે તે બે દિવસ પછી ખોલવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, માર્ચના પ્રથમ સપ્તાહમાં તેને નિયમનકારી મંજૂરી મળી શકે છે. એક બાજુ IPO લૉન્ચની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ કંપનીને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં LIC પોલિસીના વેચાણમાં ભારે ઘટાડો થયો છે.

Advertisement

પોલિસીના વેચાણમાં ઘટાડો

LIC દ્વારા માર્કેટ રેગ્યુલેટર સેબીને સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, LICની પોલિસીના વેચાણમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. વ્યક્તિગત અને જૂથ પોલિસીઓનું વેચાણ નાણાકીય વર્ષ 2018-19માં 7.5 કરોડથી 16.76 ટકા ઘટીને નાણાકીય વર્ષ 2019-20માં 6.24 કરોડ થયું છે. તે જ સમયે નાણાકીય વર્ષ 2020-21માં તેમાં 15.84 ટકાનો ઘટાડો થયો છે અને આ આંકડો 5.25 કરોડ પર પહોંચ્યો છે.

કંપની દ્વારા શેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, લોકડાઉનના કારણે 2019-20ના ચોથા ક્વાર્ટરમાં વ્યક્તિગત પોલિસીનું વેચાણ 22.66 ટકા ઘટીને 63.5 લાખ થયું છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 82.1 લાખ હતું. 2020-21 અને 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અનુક્રમે 46.20 ટકા ઘટીને 19.1 લાખ અને પછી 34.93 ટકા ઘટીને 23.1 લાખ રહ્યું છે.

Advertisement

કંપની પર નાણાકીય બોજ વધ્યો

પોલિસીના વેચાણમાં ઘટાડો થવાને કારણે કંપનીને નુકસાન થયું છે. તો બીજી બાજુ કોરોના સમયગાળા દરમિયાન મૃત્યુ વીમાની ચૂકવણીના કિસ્સામાં વીમા કંપની પર નાણાકીય બોજ સતત વધી રહ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના મહામારીના કારણે કંપનીની વ્યક્તિગત અને જૂથ પોલિસીઓની કુલ સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે મૃત્યુ વીમાના દાવાઓમાં તીવ્ર વધારો થયો છે.

નાણાકીય વર્ષ 2019, 2020 અને 2021 માટે અનુક્રમે 17,128.84 કરોડ, 17,527.98 કરોડ અને 23,926.89 કરોડ મૃત્યુ વીમા દાવા માટે ચૂકવવામાં આવ્યા છે. 30 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ પૂરા થયેલા છ મહિના માટે 21,734.15 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement

#government#highvolatility#ipo#Launch#lic
Share0
પાછલી પોસ્ટ
રાજ્ય સરકારની ખેડૂતોને મહત્વની ભેટ, મુખ્યમંત્રીના હસ્તે સ્માર્ટફોનનું વિતરણ કરાયું
આગળની પોસ્ટ
મહારાષ્ટ્રમાં વધુ એક મંત્રી પર કસાયો ગાળિયોઃ અન્ડરવર્લ્ડ કનેક્શન મામલે નવાબ મલિકની ધરપકડ, EDએ 8 કલાક સુધી કરી પૂછપરછ

Related posts

બનાસકાંઠા : ડીસાના ધનાવાડા ગામેથી સગીરાનું અપહરણ

paras joshi04/07/2022

સુરેન્દ્રનગર : ધ્રાગંધ્રા પંથકની નર્મદા કેનાલમાં ગાબડું. ખેતરોમાં પાણી ફરી વળતા ભારે નુકસાન

paras joshi04/07/2022

સુરેન્દ્રનગર : લખતર તાલુકાના નાનાઅંકેવાડિયા ગામે કૂવામાં પડેલી ગાયનું કરાયું રેસ્ક્યું

paras joshi04/07/202204/07/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

રાજપાલ યાદવની વધી મુશ્કેલીઓ, ઈન્દોર પોલીસે અભિનેતા વિરુદ્ધ જારી કરી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

malay kotecha02/07/2022
02/07/20220

Alia Bhatt Pregnancy: પ્રેગ્નેન્સીની આવી ખબર પર ભડકી આલિયા ભટ્ટ, કહ્યું- ‘હું એક મહિલા છું, પાર્સલ નહીં’

malay kotecha29/06/2022
29/06/20220

TMKOC: ‘મહેતા સાહેબ’ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શૉ Taarak Mehta Ka Ooltah Chashmah, જાણો કારણ

malay kotecha28/06/202228/06/2022
28/06/202228/06/20220

Alia Bhatt Pregnant: આલિયા ભટ્ટે ફેન્સને આપ્યા GOOD NEWS, હોસ્પિટલમાંથી ફોટો કર્યો શેર; બે મહિના પહેલા રણબીર કપૂર સાથે થયા...

malay kotecha27/06/2022
27/06/20220

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

બનાસકાંઠા : ડીસાના ધનાવાડા ગામેથી સગીરાનું અપહરણ

paras joshi04/07/2022
04/07/20220

સુરેન્દ્રનગર : ધ્રાગંધ્રા પંથકની નર્મદા કેનાલમાં ગાબડું. ખેતરોમાં પાણી ફરી વળતા ભારે નુકસાન

paras joshi04/07/2022
04/07/20220

સુરેન્દ્રનગર : લખતર તાલુકાના નાનાઅંકેવાડિયા ગામે કૂવામાં પડેલી ગાયનું કરાયું રેસ્ક્યું

paras joshi04/07/202204/07/2022
04/07/202204/07/20220

બનાસકાંઠા : દિયોદરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઠેર ઠેર પાણી ભરાયા

paras joshi04/07/2022
04/07/20220

બનાસકાંઠા : ભાભરના જાસનવાડ ગામે મીની વાવાઝોડાએ તબાહી મચાવી

paras joshi04/07/2022
04/07/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો