जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • ‘ગાંધી-સરદારની ભૂમિને કલંકિત કરતી લઠ્ઠાકાંડની ઘટનાએ ભાજપની દારૂબંદીની ખોલી નાખી પોલ’, જગદીશ ઠાકોરે કહ્યું- તંત્ર પગલા નહિ ભરે તો…
slider news વાત વિપક્ષની

‘ગાંધી-સરદારની ભૂમિને કલંકિત કરતી લઠ્ઠાકાંડની ઘટનાએ ભાજપની દારૂબંદીની ખોલી નાખી પોલ’, જગદીશ ઠાકોરે કહ્યું- તંત્ર પગલા નહિ ભરે તો…

28/07/2022
Share0

 

તા- 28-07-2022 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “સરકાર કોઈ મદદ તો નથી કરતી પણ સરકાર દ્વારા વ્યસન પીરસવામાં આવે છે. યુવાન બેરોજગાર છે” તુ ચિંતા ના કરીશ લે દારૂ પી, ડ્રગ્સ લે.રોજીંદ ગામના સરપંચે તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ એક પત્ર પી.એસ.આઈ.ને લખે છે, બીજો પત્ર તા. ૪ માર્ચના રોજ, આ બધા પત્રોમાં પોલીસ સ્ટેશનથી રીસીવ કોપી ઉપર સાઈન કરીને આપવામાં આવે છે. ત્રીજો પત્ર તા. ૯ માર્ચના રોજ લખાય છે અને ચોથો પત્ર રાઘવજીભાઈ લખે છે કે “મારી કરીયાણાની દુકાન છે. દારૂના અડ્ડાવાળાએ મારી દુકાનમાં તોડફોડ કરી અને કહ્યું કે “તમે અમારો અડ્ડો બંધ કરવા પોલીસ સ્ટેશન જાઓ છો, તમે અને સરપંચ ભેગા મળીને પોલીસ સ્ટેશનમાં કાગળો લખો છો. કાગળો લખવાનું બંધ કર નહીંતર આ કરીયાણાની દુકાન સાથે તને જીવતો સળગાવી જઈશ, સરપંચ સાથે જે કોઈ અમારા અડ્ડા બંધ કરાવવાની કોશીશ કરશે તેમની લાશ પણ જોવા નહી” મળે તેવી ખુલ્લેઆમ ધમકી આપે છે” તેવો પત્ર રાજુભાઈ લખે છે. ત્યાથી અટકતુ નથી ગામના સરપંચ અને આગેવાનો તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભેગા થઈને ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલને મળે છે અને ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ ૬ તારીખે એક પત્ર લખે છે તાલુકા સંકલન સમિતિમાં આ પ્રશ્નની ચર્ચા થવી જોઈએ, રજુઆત થવી જોઈએ, તેમ છતાં દારુના અડ્ડા ચાલુ છે બંધ થતા નથી. ગામના સરપંચ સારા છે, ધારાસભ્ય સારા છે આટલુ સારુ હોવા છતાં વારંવાર રજુઆત કરવા છતા દારૂના અડ્ડા કેમ બંધ થતા નથી? લઠ્ઠાકાંડની તટસ્થ તપાસ થાય, જવાબદાર સામે સખત પગલા ભરાય તેવી માંગ સાથે કોંગ્રેસ રાજ્યના ચાર ઝોનમાં ધરણા પ્રદર્શન કરશે. આગામી દિવસોમાં દારૂના દુષણ સામે સરકાર પોલીસ તંત્ર પગલા નહિ ભરે તો જનતા રેડ કાર્યક્રમો પણ અપાશે.

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં દારૂબંદીના અમલવારી-અસરકારક કામગીરીમાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગાંધી-સરદારની ભૂમિને કલંકિત કરતી લઠ્ઠાકાંડની ઘટના ભાજપની દારૂબંદીની પોલખોલી નાખી છે. રોજીંદ ગામના સરપંચ બે-બે વાર લેખિતમાં રજૂઆત કરે. ચુટાયેલા ધારાસભ્ય સંકલન સમિતિમાં રજૂઆત કરે તેમ છતાં બુટલેગર, ગામના અસામાજિક તત્વોને છાવરતી હોય તેમ ભાજપ સરકાર હાથ પર હાથ ધરી બેસી રહી. પરિણામે ૩૦થી વધુ નવજુવાનીયાઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. ડ્રગ્સ અને દારૂના બેરોકટોક ચાલી રહેલા વ્યાપારમાં ભાજપ અને તેના મળતિયાઓની ભાગીદારી છે. સ્થાનિક કરિયાણાની દુકાન ચલાવતા રાજુભાઈ ગામમાં ચાલી રહેલા બેરોકટોક દારૂના વેચાણ વિરુદ્ધ આવાજ ઉઠાવે છે પરતું ભાજપના કુશાસનમાં ફરિયાદ કરનારને મારી નાખવાની ધમકીઓ અપાય છે. માનનીય નરેન્દ્ર મોદીજી ગુજરાત આવી રહ્યા છે ત્યારે ભાજપના કોઈ પણ હોદેદારોએ આ ગામોમાં પીડિત પરિવારજનોની મુલાકાત નથી લીધી. ગાયના નામે ખુબ વોટ માંગનારા આજે ગામે ગામ ગાયો લમ્પી વાયરસથી મરી રહ્યી છે ત્યારે ભાજપ ઉત્સવો-તાયફોમાં વ્યસ્ત છે.

Advertisement

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લઠ્ઠાકાંડની જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જ પડશે#લઠ્ઠાકાંડ #Prohibition #ResignHarshsanghvi pic.twitter.com/WlJSVRYJzH

— Gujarat Congress (@INCGujarat) July 28, 2022

Advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી વારંવાર એવુ કહેતા હોય છે કે, મારી બહેનો કોઈપણ તકલીફ પડે તો મને અડધી રાત્રે યાદ કરજો. ધંધુકા, બોટાદ, બરવાળા અને ભાવનગરની બહેનો છેલ્લા ૭૨ કલાકથી આપને યાદ કરી રહી છે, તો ક્યારે સમય આપશો ? હજુ સુધી ગૃહમંત્રીએ આ પીડીત પરિવારોની મુલાકાત લીધી નથી. ગુજરાતના મુખ્યમંત્રીએ કોઈ સંવેદના વ્યક્ત કરી નથી. આજે જ્યારે ગુજરાતના પ્રધાનમંત્રી સાબરકાંઠા જીલ્લાની મુલાકાતે છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પટેલના પોતાના ગામમાં દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે. સાબરકાંઠાના સ્થાનિક મિત્રોની માહિતી મુજબ સાબરકાંઠાના સાબરમતી નદીના કિનારે આવેલા સરોળી અને એડાવાલાના ગામમાં ખુલ્લેઆમ દારુની ભઠ્ઠીઓ ચાલી રહી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ભોલેશ્વરમાં નદી કિનારે દારુના અડ્ડા ચાલી રહ્યાં છે. ૫૦થી વધારે નિર્દોષ ગરીબ – મધ્યમવર્ગના લોકોએ જીવ ગુમાવ્યા છે, ગુજરાતની બહેન-દિકરી-માતા વિધવા થઈ તેનો કોઈ અફસોસ ભાજપ સરકારને નથી, કારણ કે ભાજપના પ્રમુખ પૂર્વ બુટલેગરનો ઐતિહાસીક ભવ્ય ભૂમિકા ધરાવે છે, તેમના ઉપર એક-બે નહીં પરંતુ ૧૦૮ કેસો જેટલા કેસ બુટલેગર તરીકેના લાગેલા છે તે ગુજરાતની અંદર ડ્રગ્સ બંધ કરશે? એ ગુજરાતની અંદર દારુ બંધ કરશે ? ભાજપની સરકારે પોતે સ્વિકારે છે કે બે વર્ષમાં ૨૧૫ કરોડનો દારુ પકડાયો છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ગુજરાતના દરેક શહેર – જીલ્લા – દરેક વિસ્તારોમાં દારૂનું વેચાણ ચાલુ છે. ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે. મુંદ્રા પોર્ટ ઉપર ૧ લાખ ૭૫ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું સતત છાસવારે ડ્રગ્સ પકડાયા કરે જ્યારે એવું લાગી રહ્યું છે કે, મુદ્રાના પોર્ટ ઉપર જાણે પ્લેટફોર્મ ઉભુ કરવામાં આવ્યું હોય ડ્રગ્સ ઉતારવા માટે, એ હદે હેરાફેરી થાય ત્યારે સવાલ થાય કે રાજ્યની સરકાર જે બુટલેગરોને છાવરી રહી છે, ગૃહમંત્રીએ પોતે પરિવારોની વીઝીટ ના કરી. વિધવા થયેલ બહેનોના આંસુ લુછવાની કોશિસ ના કરી, ગઈકાલે પ્રેસકોન્ફરન્સમાં એવુ કહ્યું કે પોલીસ તંત્રને બદનામ કરવાનું આ એક ષડયંત્ર છે. શરમ આવવી જોઈએ તમે ખુલ્લે આમ બુટલેગરોનો બચાવ કરી રહ્યાં છો. જેની ફેક્ટરીમાંથી આખુ આ કેમીકલ પકડાયું એ તેના ત્યાંથી ચોરી થઈ હતી તો પોલીસ ફરીયાદ કરી? કઈ તારીખે ફરીયાદ કરી? ગુજરાતમાં છાસવારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે.

ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ગુસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું છે. આખા લઠ્ઠાકાંડને ભીનું સંકેલવા માટે ભાજપે પોતાના અનુકુળ અધિકારીઓની એસ.આઈ.ટી રચના કરી છે ત્યારે આ એસ.આઈ.ટીમાં નિષ્પક્ષ-પ્રમાણિક અધિકારીઓએ સમાવવામાં આવે અને સમગ્ર લઠ્ઠાકાંડ જેમની નિષ્ફળતાને કારણે થયો છે તેવા ઉચ્ચ અધિકારીઓને ડીસમીસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

 

Advertisement

 

Advertisement

#congress#Gujarat#incident#JagdishThakorsoniagandhi
Share0
પાછલી પોસ્ટ
મોડાસાના મુલોજ ગામે અંતિમક્રિયા માટે ‘અગ્નિપરીક્ષા’, નદીમાં ઉતરીને લઈ જવાયો મૃતદેહ; લાકડા પણ ખભે રાખી પાણીમાંથી લઈ જવા પડ્યા
આગળની પોસ્ટ
શું તમે જાણો છો શા માટે કરવામાં આવે છે દશામાનું વ્રત? અહીં ક્લિક કરીને જાણી લો

Related posts

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022
09/08/202209/08/20220

બનાસકાંઠા : ડીસાના સદરપુર ગામ નજીક બનાસ નદીમાં ધોધમાર વરસાદના પગલે નવા નીર આવ્યા

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

બનાસકાંઠા : ડીસાના રાણપુરમાં એકસાથે બે મંદિરમાં ચોરી થતા ખળભળાટ

paras joshi09/08/2022
09/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો