વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટની મેજબાની કરશે. વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આયોજિત આ સમિટ દરમિયાન તેમાં ભાગ લેનારા નેતાઓ પ્રાદેશિક સુરક્ષા સ્થિતિની સાથેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના પગલાઓ પર વિચાર-વિમર્શ કરશે અને તેને લઈને તેમના વિચારો શેર કરશે.
આ સમિટમાં પાંચ દેશોના રાષ્ટ્રપતિઓ ભાગ લેશે. આમાં કઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગીઝ રિપબ્લિકનો સમાવેશ થાય છે.
ભારત અને મધ્ય એશિયાના દેશોની વચ્ચે આ પ્રકારનું પ્રથમ આયોજન
વિદેશ મંત્રાલયે આ સમિટને લઈને કહ્યું કે, આ ભારત અને મધ્ય એશિયાઈ દેશોની વચ્ચે નેતાઓના સ્તર પર આ પ્રકારની પ્રથમ બેઠક હશે. મંત્રાલયે કહ્યું કે, આ સમિટ ભારત અને મધ્ય એશિયાના દેશોના નેતાઓની તરફથી વ્યાપક અને સ્થાયી ભારત-મધ્ય એશિયા ભાગીદારીના મહત્વને દર્શાવે છે.
આ સમિટ ભારતના 73માં ગણતંત્ર દિવસના એક દિવસ પછી આયોજિત કરવામાં આવી રહી છે. જેમાં આ વખતે કોઈ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું નથી. મધ્ય એશિયાના પાંચ દેશોના નેતાઓને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવાની યોજના હતી પરંતુ કોરોના મહામારીને કારણે આ થઈ શક્યું નહીં.
2015માં પીએમ મોદીએ મધ્ય એશિયાના તમામ દેશોની લીધી હતી મુલાકાત
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટ એ દેશની મધ્ય એશિયાઈ દેશોની સાથે વધતા સંબંધોનો પડછાયો છે જે ભારતના વિસ્તૃત પડોશનો ભાગ છે. વડાપ્રધાન મોદીએ વર્ષ 2015માં મધ્ય એશિયાના તમામ દેશોની મુલાકાત લીધી હતી. ત્યારથી ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય અને બહુપક્ષીય મંચો પર વાતચીત થઈ છે.