હાલ ચોમાસાની શરૂઆત થતી હોવાથી દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ અને પવન સાથે મોટાં મોજાં થતા હોવાથી માનવ જિંદગીને દરિયામાં જવાનો ખતરો વધી જતો હોય છે.
ત્યારે ગુજરાતીઓના સૌથી પ્રિય પર્યટન સ્થળમાંના એક એવા દીવમાં જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. દીવમાં જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્માના આદેશ અનુસાર તા. 01 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પર્યટકો બીચ પર હરીફરી શકશે, પરંતુ નાહવા કે દરિયામાં નહિ જઈ શકે. જેને લઈને દીવ પોલીસ વિભાગ દ્વારા પર્યાટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, હાલ પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ હોવાથી દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ અને પવન સાથે મોટાં મોજાં થતા હોવાથી માનવ જિંદગીને દરિયામાં જવાનો ખતરો વધી જતો હોય છે. ત્યારે જિલ્લા કલેક્ટરે આ આદેશ જાહેર કરી કલમ 144 લગાડવામાં આવી છે. અને આ બાબતે કોઈ કાયદાનું ઉલ્લઘન કરશે તો IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આમ જો કોઈ વ્યક્તિ દરિયામાં ન્હાતા પકડાશે તો તેમની સામે FIR પણ દાખલ થઈ શકે છે.