जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • ભગવાન ભોળાનાથને ચઢાવાતા બીલીપત્રમાં છે ગજબની શક્તિ, શરીરની અનેક સમસ્યાઓ માટે છે રામબાણ સમાન
slider news જીવનશૈલી

ભગવાન ભોળાનાથને ચઢાવાતા બીલીપત્રમાં છે ગજબની શક્તિ, શરીરની અનેક સમસ્યાઓ માટે છે રામબાણ સમાન

27/07/202227/07/2022
Share0

ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ શરુ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભક્તો ભોળાનાથની વિવિધ રીતે પૂજા કરે છે. ભક્તો શિવ મંદિરોમાં જઈને ભગવાનને પ્રિય વસ્તુઓ અર્પણ કરે છે, જેથી ભગવાન ખુશ થાય અને ભક્તો પર પોતાના આશાર્વાદ સદાય રાખે. ભગવાન શિવની આવી જ એક પ્રિય વસ્તુ છે બીલીપત્ર. કહેવાય છે કે બીલીપત્ર વિના શિવની પૂજા અધૂરી છે. જેનો અનેક ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે. શિવ મહાપુરાણમાં પણ તેનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે.

બીલીપત્રમાં હોય છે ઝેર દૂર કરવાના ગુણ

એક પૌરાણિક કથા અનુસાર, જ્યારે ભગવાન શિવે સમુદ્ર મંથન દરમિયાન ઝેર પીધું ત્યારે તેમના ગળામાં બળતરા થઈ રહી હતી. બીલીપત્રમાં ઝેર કાપવાના ગુણ હોય છે, આ કારણથી ભગવાન શિવને બીલીપત્ર ચઢાવવામાં આવ્યા હતા, જેનાથી ઝેરની અસર ઓછી થઈ શકે. એવું માનવામાં આવે છે કે ત્યારથી ભગવાન શિવને બીલીપત્ર ચઢાવવાની પરંપરા શરૂ થઈ.

Advertisement

અન્ય એક દંતકથા અનુસાર, બીલીપત્રના ત્રણ પાંદડા ભગવાન શિવની ત્રણ આંખોનું પ્રતીક છે, એટલે કે તે શિવજીનું જ સ્વરૂપ છે, તેથી બીલીપત્રને અત્યંત પવિત્ર માનવામાં આવે છે.

બીલીપત્રથી થાય છે શરીરને ઘણા ફાયદાઓ

શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરોમાં હજારો બીલીપત્ર ભગવાનને ચઢાવવામાં આવે છે અને બીજા દિવસે તેને વિસર્જિત કરી દેવામાં આવે છે, પરંતુ જો તેને આ રીતે વિસર્જિત કરવાને બદલે તેનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવે તો ઘણા ફાયદાઓ થાય છે. આ પાંદડામાં એવા અનેક ગુણ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.

Advertisement

બીલીપત્રમાં હોય છે પેન્ટાઇન અને માર્મેલોશિન

આયુર્વેદમાં પણ બીલીપત્રના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે કે બીલીપત્રનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બીલીપત્રથી શુગર કંટ્રોલમાં રહે છે, સાથે જ પેટને લગતી ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.

  • વૈજ્ઞાનિકોના મતે બીલીપત્રમાં પેન્ટાઇન અને માર્મેલોશિન નામનું તત્વ હોય છે, જે શરીરમાં શુગરના સ્તરને સામાન્ય રાખે છે.
  • બીલીપત્ર પરસેવાની દુર્ગંધને પણ દૂર કરે છે.
  • બીલીપત્રનો રસ પીવાથી પેટ સંબંધિત ઘણી બીમારીઓથી છુટકારો મળે છે.
  • બીલીપત્રમાં પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે, જે આપણા શરીરના અનેક કાર્યોને સુચારૂ રીતે ચલાવવા માટે જરૂરી છે.
  • બીલીપત્ર અને તેનું ફળ બંને શરીરને ઠંડક આપે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચોક્કસપણે તબીબી સલાહ લો.

Advertisement
Advertisement

#belpatra#Health#HealthBenefits#Lifestyle
Share0
પાછલી પોસ્ટ
Paytm Mall પર મોટો સાયબર એટેક, 34 લાખ યુઝર્સની અંગત માહિતી લીક
આગળની પોસ્ટ
સુખી જીવનની ચાવીઃ જીવનસાથીથી ક્યારેય ન છુપાવતા આ વાત, નહીં તો સંબંધ તૂટતા વાર નહીં લાગે

Related posts

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022
09/08/202209/08/20220

બનાસકાંઠા : ડીસાના સદરપુર ગામ નજીક બનાસ નદીમાં ધોધમાર વરસાદના પગલે નવા નીર આવ્યા

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

બનાસકાંઠા : ડીસાના રાણપુરમાં એકસાથે બે મંદિરમાં ચોરી થતા ખળભળાટ

paras joshi09/08/2022
09/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો