Sunderkand Path Niyam: હનુમાનજી એક માત્ર એવા દેવતા છે, જેઓ કળયુગમાં વિરાજમાન છે. હનુમાનજીને માતા સીતાએ અમરતાનું વરદાન આપ્યું હતું. કહેવાય છે કે સાચ્ચા મનથી હનુમાનજીની આરાધના કરવાથી હનુમાનજી ભક્તોના તમામ કષ્ટ દૂર કરે છે. વિધિ-વિધાન સાથે હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
કહેવાય છે કે હનુમાનજી પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. તેઓ ભક્તો પર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. મંગળવારના દિવસે હનુમાનજીના સુંદરકાંડ પાઠ કરવાની પરંપરા છે. માન્યતા છે કે હનુમાનજી દ્વારા કરવામાં આવેલા કાર્યોનું તેમાં સંપૂર્ણ વર્ણન મળે છે. શાસ્ત્રોના અનુસાર નિયમિત રીતે 40 સપ્તાહો સુધી સુંદરકાંડનો પાઠ કરવાથી ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. જાણો સુંદરકાંડનો પાઠ એક દિવસમાં કેટલીવાર કરી શકાય છે.
સુંદરકાંડ પાઠ કરવાના નિયમ
મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવાનું વિધાન છે. પણ પાઠની સાથે-સાથે તેના નિયમો વિશે પણ ખબર હોવી જરૂરી છે. પોતાની ઈચ્છાનુસાર સુંદરકાંડનો પાઠ 11, 21 કે 31 દિવસ સુધી કરી શકાય છે. જો તમે સુંદરકાંડનો પાઠ કરો છો, તો હનુમાનજીની પ્રતિમા તમારા સામે સ્થાપિત કરીને જ પાઠની શરૂઆત કરો.
હનુમાનજીની એવી પ્રતિમા સામે રાખો જેમાં પ્રભુ શ્રી રામ અને માતા સીતા તેમજ લક્ષ્મણ પણ હોય. પ્રતિમા સ્થાપિત કર્યા બાદ ઘીનો દીવો પ્રગટાવો. સાથે જ, બજરંગબલીના ચરણોમાં 7 પીપળાના પાંદડા અર્પિત કરો. લાડુનો ભોગ લગાવો અને સુંદરકાંડનો પાઠ શરૂ કરો.
આ સમય છે સુંદરકાંડનો પાઠ કરવા માટે ઉત્તમ
જો તમે સુંદરકાંડનો પાઠ શરૂ કરવા માંગો છો, તો તેના માટે સવારનો સમય સૌથી ઉત્તમ છે. સુંદરકાંડનો પાઠ બ્રહ્મમુહૂર્તમાં સવારે 4 વાગ્યાથી શરૂ કરીને 6 વાગ્યા સુધી કરી શકો છો. જ્યારે, જો તમે સુંદરકાંડનો પાઠ સમુહમાં કરવા માંગતા હોવ તો સાંજે 7 વાગ્યા બાદ આ પાઠ કરવો જોઈએ.