जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કહ્યું- ‘સરકાર પોતાની પ્રસિદ્ધી માટે લોકોના જીવને મુકી રહી છે જોખમમાં, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ રદ કરો અથવા વર્ચ્યુઅલ રીતે કરો’
slider news વાત વિપક્ષની

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કહ્યું- ‘સરકાર પોતાની પ્રસિદ્ધી માટે લોકોના જીવને મુકી રહી છે જોખમમાં, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ રદ કરો અથવા વર્ચ્યુઅલ રીતે કરો’

29/12/2021
Share0

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 137માં સ્થાપના દિન અને સેવાદળના 99માં સ્થાપના દિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના ધ્વજને સલામી આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ વિશ્વનું સૌથી જૂનું રાજકીય સંગઠન છે. 1885માં અંગ્રેજો સામે લડાઈ લડવા માટે અને દેશમાં સામાજીક ન્યાયનું વાતાવરણ ઉભુ કરવા કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ. સમય જતાં વિશ્વની સૌથી મોટી આઝાદીની ચળવળ પણ કોંગ્રેસપક્ષના નેતૃત્વમાં લડાઈ. અનેક મહાનુભાવોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. કોંગ્રેસ પક્ષના પાયામાં સર્વધર્મ સમભાવ, સામાજીક ન્યાય અને વાણી સ્વાતંત્ર્યતા મુખ્ય સિધ્ધાંતો છે. રજવાડાઓનું એકત્ર કરી દેશ એક બન્યો. ખેડૂતોને ખેતરના માલિક બનાવ્યા, હરિતક્રાંતિ અને શ્વેતક્રાંતિ દ્વારા દેશમાં પ્રગતિની સિદ્ધી સાકાર કરી. કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં દેશના નાગરિકોની આર્થિક પ્રગતિ થઈ. કેન્દ્રમાં 2004થી 2014 દસ વર્ષમાં દેશના નાગરિકોને શિક્ષણનો અધિકાર, રોજગારનો અધિકાર, જંગલના જમીનનો અધિકાર, માહિતી અધિકાર અને અન્ન સુરક્ષા અધિકાર જેવા અનેક કાયદાઓ આપીને દેશમાં હક્ક અને અધિકાર આધારીત સિદ્ધી હાસલ કરી સામાન્ય નાગરિકોના જીવનમાં આમુલ પરિવર્તન લાવવા માટે કોંગ્રેસ માધ્યમ બની.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. જો કે, વિશ્વભરમાં અને દેશમાં તેમજ ગુજરાતમાં ઓમિક્રોનનું સંકટ ઘેરાયું છે. આ ઉપરાંત કોરોનાએ પણ માથું ઊંચક્યું છે ત્યારે સરકાર આ વાઈબ્રન્ટ સમિટ તાકીદે રદ કરે તેવી માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોરોના અને ઓમિક્રોનના સંકટ વચ્ચે વાઈબ્રન્ટ સમિટ તાયફો બનીને રહી ગઈ છે અને તાકીદે આ રદ કરવી જોઈએ. વિદેશથી આવનારા ડેલિગેશનને એક સપ્તાહ પહેલા આવવું પડે અને ફરજિયાત ક્વોરેન્ટાઈન રહેવું પડે તેવી સ્થિતિમાં કોઈ આવશે જ નહીં. રાજ્ય સરકાર માત્રને માત્ર તાયફા કરી રહી છે અને પોતાની પ્રસિદ્ધી માટે લોકોના જીવ જોખમમાં મુકી રહી છે. ભૂતકાળમાં પણ અનેક એમ.ઓ.યુ. થયા હતા અને તેમાં કોઈને રોજગારી મળી નથી. રાજ્યમાં હાલ કોરોનાનું સંક્રમણ પણ વધ્યું છે ત્યારે વાઈબ્રન્ટ સમિટ વચ્યુઅલી રાખવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાએ બેવડી સદી ફટકારી છે તો સાથે સાથે ઓમિક્રોન પણ જેટ ગતિએ આગળ વધી રહ્યો છે. આવા સમયે આગામી જાન્યુઆરીમાં તા. 10 થી 12 દરમિયાન વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. ગુજરાત અને ગુજરાતીઓને કોરોના મહામારીમાં બચાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે પણ કમનસીબે ભાજપ સરકાર મહામારીમાં સંક્રમણ વધે – ફેલાય તેવા કાર્યક્રમો અને ઉત્સવો કરે તે કેટલે અંશે વ્યાજબી ? તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, સરકાર પોતાની પ્રસિદ્ધી માટે તાયફા કરી રહી છે અને લોકોના જીવને જોખમમાં મૂકી રહી છે. ઓમિક્રોન અને કોરોનાએ હાકાકાર મચાવ્યો છે તેવા કપરા સમયમાં આ વાઈબ્રન્ટ સમિટ યોજવી શક્ય જ નથી પણ સરકાર માનતી નથી કાં તો વાયબ્રન્ટ રદ કરી દેવી જોઈએ અથવા તો વર્ચ્યુઅલી રાખવી જોઈએ પણ સરકાર તેમ કરતી નથી.

Advertisement

સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, ઓમિક્રોને વિદેશમાં પણ હાહાકાર મચાવ્યો છે અને મોટાભાગના ડેલિગેશન વિદેશથી આવવાના છે ત્યારે હવે ત્યાંથી પણ કોઈ આવી શકે તેવી શક્યતાઓ નથી. વાઈબ્રન્ટમાં ભાગ લેવા માટે આવનારા ડેલિગેશનને એક સપ્તાહ પહેલાં અહીંયા આવવું પડે અને ફરજિયાત ક્વોરેન્ટાઈન થવું પડે તે કોઈને પાલવે એમ નથી. આ સિવાય ડેલિગેશન પોતાના દેશમાં પરત ફરે ત્યારે પણ તેણે એક સપ્તાહ ફરજિયાત ક્વોરેન્ટાઈન થવું પડે તેમ છે. આવી વિષમ સ્થિતિ વચ્ચે વાઈબ્રન્ટ સમિટ યોજવી શક્ય જ નથી પણ સરકાર પોતાની પ્રસિદ્ધી માટે ભૂખી છે અને જીવના જોખમે વાઈબ્રન્ટ સમિટ યોજવા માટે મક્કમ બની છે.

 

Advertisement
Advertisement

#cancel#corona#Urgently#vibrantsummit
Share0
પાછલી પોસ્ટ
કોરોનાઃ મુખ્ય સચિવ પંકજ કુમારની મહાનગરો અને જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઈ બેઠક, આપવામાં આવી આ સૂચના
આગળની પોસ્ટ
Omicron: દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 781 થયા, દિલ્હીમાં આંકડો 200ને પાર, અનેક રાજ્યોમાં લાગ્યા પ્રતિબંધો

Related posts

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો દુર કરવા માંગ.

paras joshi03/07/2022

ગીર સોમનાથ : ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદથી ખેતરો અને રસ્તા પર પાણી ફરી વળ્યા

paras joshi03/07/2022

બનાસકાંઠા : ભાભર વિદ્યાલય ખાતે નવીન ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો

paras joshi03/07/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

રાજપાલ યાદવની વધી મુશ્કેલીઓ, ઈન્દોર પોલીસે અભિનેતા વિરુદ્ધ જારી કરી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

malay kotecha02/07/2022
02/07/20220

Alia Bhatt Pregnancy: પ્રેગ્નેન્સીની આવી ખબર પર ભડકી આલિયા ભટ્ટ, કહ્યું- ‘હું એક મહિલા છું, પાર્સલ નહીં’

malay kotecha29/06/2022
29/06/20220

TMKOC: ‘મહેતા સાહેબ’ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શૉ Taarak Mehta Ka Ooltah Chashmah, જાણો કારણ

malay kotecha28/06/202228/06/2022
28/06/202228/06/20220

Alia Bhatt Pregnant: આલિયા ભટ્ટે ફેન્સને આપ્યા GOOD NEWS, હોસ્પિટલમાંથી ફોટો કર્યો શેર; બે મહિના પહેલા રણબીર કપૂર સાથે થયા...

malay kotecha27/06/2022
27/06/20220

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો દુર કરવા માંગ.

paras joshi03/07/2022
03/07/20220

ગીર સોમનાથ : ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદથી ખેતરો અને રસ્તા પર પાણી ફરી વળ્યા

paras joshi03/07/2022
03/07/20220

બનાસકાંઠા : ભાભર વિદ્યાલય ખાતે નવીન ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો

paras joshi03/07/2022
03/07/20220

બનાસકાંઠા : ભાભરમાં મોસમના પહેલા વરસાદમાં પોસ્ટ ઓફિસની હાલત કફોડી

paras joshi03/07/2022
03/07/20220

નવસારી : LCB પોલીસે ચોરીના માસ્ટરમાઈન્ડને ઝડપી પાડ્યો, 21 બાઈક સાથે ઝડપાયો ચોર

paras joshi03/07/2022
03/07/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો