Flood In Amarnath: ભારે વરસાદને કારણે અમરનાથ ગુફા (Amarnath Cave) પાસે ફરી પૂર આવ્યું છે. ગુફાની આસપાસના પહાડોમાં પડેલા વરસાદને કારણે આજે બપોરે 3 વાગ્યાની આસપાસ જળાશયો અને નજીકના ઝરણા છલકાઈ ગયા હતા. તાત્કાલિક એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 4,000થી વધુ શ્રદ્ધાળુઓને સલામત ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સ્થિતિ નિયંત્રણમાં છે.
આ પહેલા 8 જુલાઈના રોજ અમરનાથની ગુફા પાસે વાદળ ફાટ્યું હતું. તે ઘટનામાં 15 લોકોના મૃત્યુ થયા હતા અને 40થી વધુ લોકો ગુમ થયા હતા. 8 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યે વાદળ ફાટવાની જાણ થઈ હતી. જેમાં ગુફા પાસે બનાવેલા અનેક તંબુ ધરાશાયી થયા હતા.
Just Now: Heavy rains in the high mountains around holy #AmarnathCave triggered floods in water body and surrounding springs around 3 PM today. Immediate alert sounded and more than 4,000 pilgrims taken out safely till now. Situation is under control.#AmarnathYatra pic.twitter.com/uoQ08xQB78
Advertisement— Neeraj Rajput (@neeraj_rajput) July 26, 2022
વાદળ ફાટ્યા બાદ મોકૂફ રાખવામાં આવી હતી યાત્રા
સુરક્ષા દળોની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે સેનાના હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી હતી. જે બાદ 16 જુલાઈના રોજ ફરી યાત્રા શરૂ કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં 2.30 લાખ તીર્થ યાત્રી કરી ચૂક્યા છે બાબા બર્ફાનીના દર્શન
43-દિવસની લાંબી વાર્ષિક અમરનાથ યાત્રા 30 જૂને બે મુખ્ય માર્ગો (દક્ષિણ કાશ્મીરમાં 48-km-લાંબા પરંપરાગત નુનવાન-પહલગામ માર્ગ અને મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં 14-km-લાંબા બાલટાલ માર્ગ) પર શરૂ થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં 2.30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.
યાત્રા દરમિયાન કુલ 36 તીર્થ યાત્રીઓના મૃત્યુ
રક્ષાબંધનના અવસર પર અમરનાથ યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન કુલ 36 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. જ્યારે, 8 જુલાઈના રોજ પવિત્ર ગુફા નજીક વાદળ ફાટ્યા પછી અચાનક આવેલા પૂરમાં 15 અન્ય શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવવો પડ્યો હતો.