जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • અગ્નિવીરોની ભરતી:1 જુલાઈથી ઓનલાઇન રજિસ્ટ્રેશન થશે શરૂ, 8 પાસને પણ મળશે નોકરી
slider news ભારત શિક્ષણ

અગ્નિવીરોની ભરતી:1 જુલાઈથી ઓનલાઇન રજિસ્ટ્રેશન થશે શરૂ, 8 પાસને પણ મળશે નોકરી

20/06/2022
Share0

એક તરફ બિહાર, યુપી, હરિયાણા સહિત દેશના ઘણા રાજ્યોમાં અગ્નિપથ યોજનાનો વિરોધ ચાલી રહ્યો છે. તો બીજી તરફ સરકાર પણ આ યોજનાને લાગુ કરવા માટે મક્કમ છે. જેથી આજે અગ્નિવીરોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અગ્નિવીર યોજના અંતર્ગત સેનામાં જોડાવા માંગતા યુવાનો ભારતીય સેનાની વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને આ નોટિફિકેશન ડાઉનલોડ કરીને માહિતી મેળવી શકે છે

વાયુસેના પછી આર્મીએ પણ અગ્નિપથ સ્કીમ અંતર્ગત ભરતી માટે સોમવારે નોટિફિકેશન જાહેર કર્યું છે. અગ્નિવીરોની ભરતી માટે 1 જુલાઈથી રજિસ્ટ્રેશન શરૂ થશે. નોટિફિકેશન પ્રમાણે એમાં 8મું અને 10મું ધોરણ પાસ યુવકો પણ અપ્લાય કરી શકશે. નોટિફિકેશનમાં યોગ્યતા, ભરતી પ્રક્રિયા, વેતન-ભથ્થાથી લઈને સર્વિસ રૂલ્સ વિશેની માહિતી આપવામાં આવી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન joinindianarmy.nic.in વેબ પર જઈને કરી શકાય છે. અગ્નિપથ યોજના અંતર્ગત ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે.

8 અને 10 પાસ યુવકોને પણ તક
ભારતીય સેનાએ ભારત સરકારની મહત્વાકાંક્ષી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી માટે અગ્નિવીર ભરતી રેલીની સૂચના બહાર પાડી છે. જે અંતર્ગત ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા આવતા મહિનાથી એટલે કે જુલાઈ 2022થી શરૂ થશે. ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ, joinindianarmy.nic.in પર આ રજીસ્ટ્રેશન થઇ શકશે. નોટિફિકેશન મુજબ 8મુ અને 10મુ પાસ યુવાનો પણ અરજી કરી શકે છે. 8 પાસ લોકોને અગ્નિવીર ટ્રેડ્સમેન બનવાની તક મળશે.

Advertisement

આટલી પોસ્ટ માટે ભરતી કરાશે
અગ્નિવીર જનરલ ડ્યુટી
અગ્નિવીર ટેકનિકલ (એવિએશન / એમ્યૂનેશન)
અગ્નિવીર ક્લાર્ક/ સ્ટોરકીપર ટેકનિકલ
અગ્નિવીર ટ્રેડ્સમેન 10મુ પાસ
અગ્નિવીર ટ્રેડ્સમેન 8મુ પાસ

મેરિટના આધારે ભરતી થશે
નોટિફિકેશનમાં આપેલી માહિતી પ્રમાણે ખાલી જગ્યાઓ માટેની ભરતી સંપૂર્ણ રીતે મેરિટ પર આધારિત હશે. માત્ર ભરતી પ્રક્રિયામાં પાસ થવાથી ભરતીનો દાવો નહીં કરી શકાય. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવારો પાસે જરૂરી પ્રમાણપત્રો નથી તેઓ જાતે જ તેમના રિજેક્શન માટે જવાબદાર હશે.

કયા પદ પર કોને મળશે તક?
જો તમે અગ્નિવીર જનરલ ડ્યુટી માટે અરજી કરવા માંગો છો, તો ઓછામાં ઓછા 45 ટકા માર્ક્સ સાથે 10મુ પાસ હોવું જરૂરી છે. આ સિવાય તમામ વિષયોમાં 33% માર્કસ હોવા જરૂરી છે.
જે બોર્ડમાં ગ્રેડ સિસ્ટમ છે, તેના વિદ્યાર્થીઓને ઓછામાં ઓછો ડી ગ્રેડ મળ્યો હોવો જોઇએ.
12મુ પાસ વિદ્યાર્થીઓ અગ્નિવીર ટેક માટે અરજી કરી શકે છે. આ માટે 12મા ધોરણમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ તેમના વિષય હોવા જોઈએ.
કોઈપણ સ્ટ્રીમમાંથી 12 પાસ વિદ્યાર્થીઓ અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોરકીપરની પોસ્ટ માટે અરજી કરી શકે છે.
8 અને 10 પાસ કરેલા યુવાનોને પણ અગ્નિવીર ટ્રેડ્સમેન બનવાની તક મળશે.

Advertisement

સેવાનો સમયગાળો અને શરતો
અગ્નિવીરોની સેવાનો સમયગાળો 4 વર્ષનો રહેશે. આર્મી એક્ટ 1950 હેઠળ તેમની ભરતી કરવામાં આવશે અને જરૂર પડ્યે દેશમાં ગમે ત્યાં તેમની પોસ્ટ કરી શકાશે. અગ્નિવીર બનનારા કોઈપણ યુવકને પેન્શન અને ગ્રેચ્યુઈટી નહીં મળે. તેમનો કાર્યકાળ રજીસ્ટ્રેશન સાથે જ શરુ થઇ જશે. ભારતીય સેનામાં અગ્નિવીરોની અલગ રેન્ક હશે. નોટિફિકેશન પ્રમાણે અગ્નિવીરોની નિશ્ચિત ફરજ ગમે ત્યારે બદલી શકાય છે. અગ્નિવીરોને જરૂરિયાત મુજબ કોઈપણ રેજિમેન્ટ અને યુનિટમાં તૈનાત કરી શકાય છે. આ સિવાય કોઈપણ પ્રદેશમાં ટ્રાન્સફર કરી શકાય છે.

પગાર કેટલો મળશે?
અગ્નિવીરોને પ્રથમ વર્ષમાં દર મહિને રૂ. 30,000નો પગાર મળશે, ભથ્થાં અલગ હશે.
બીજા વર્ષે 33,000 પ્રતિ માસ પગાર અને ભથ્થા અલગથી આપવામાં આવશે.
ત્રીજા વર્ષે અગ્નિવીરોનો પગાર વધીને રૂ. 36,500 થશે.
ચોથા અને અંતિમ વર્ષમાં અગ્નિવીરોનો પગાર મહિને 40,000 રૂપિયા થશે.

વીમો કેટલો આપવામાં આવશે?
અગ્નિવીર તરીકે કામ કરતા લોકોને 48 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે. કોઈપણ અકસ્માતના બનાવમાં તેમને આ લાભ મળશે. આ સિવાય કમનસીબે જો તેઓ સેવાના સમયગાળા દરમિયાન શહીદ થાય છે, તો પરિવારને 1 કરોડ રૂપિયાનું ફંડ પણ મળશે.

Advertisement

કાયમી સૈનિકની પસંદગી કઇ રીતે થશે?
માત્ર 25 ટકા અગ્નિવીરોને 4 વર્ષની સેવા પછી નિયમિત સૈનિક તરીકે પસંદ કરવામાં આવશે. ભારતીય સેનાના મેન્યુઅલ અને પરીક્ષણના આધારે 25 ટકા અગ્નિવીરોની પસંદગી કરવામાં આવશે. અગ્નવીર બનનારા લોકો માટે નોટિફિકેશનમાં મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે તેમાંથી નિયમિત સૈનિકોની ભરતી કરવામાં આવશે. મેડિકલ બ્રાન્ચમાં જ અલગ લોકોની ભરતી કરવામાં આવશે.

ચાર વર્ષ બદ શું મળશે?
ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી, અગ્નિવીરોને સેવા નિધિ પેકેજ, અગ્નિવીર કૌશલ્ય પ્રમાણપત્ર અને ધોરણ 12મા સમકક્ષ લાયકાત પ્રમાણપત્ર પણ મળશે. 10મું પાસ ઉમેદવારોને 4 વર્ષ પછી 12મુ સમકક્ષ પાસનું પ્રમાણપત્ર પણ મળશે, જેની સંપૂર્ણ વિગતો પછીથી જાહેર કરવામાં આવશે.

Advertisement
Advertisement

Share0
પાછલી પોસ્ટ
સાસણ નજીક એક ફાર્મ હાઉસમાં ધમધમતા કુટણખાના પર પોલીસના દરોડા, 4 શખ્સોની ધરપકડ
આગળની પોસ્ટ
ગીર સોમનાથના કોડીનારમાં યોજાઈ તિરંગા યાત્રા, ભાજપ યુવા મોરચા દ્વારા કરાયું આયોજન

Related posts

જુગાર પર ત્રાટકી પોલીસ, ધ્રાંગધ્રાના હરીપર રોડ નજીકથી ઝડપાયા 4 શકુની

malay kotecha27/06/2022

President Election 2022: રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને મળ્યું વધું એક પાર્ટીનું સમર્થન, આજે નોંધાવશે ઉમેદવારી

malay kotecha27/06/2022

Maharashtra Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક, રાજ ઠાકરેની MNSમાં જોડાઈ શકે છે શિંદે જૂથ!

malay kotecha27/06/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220

Sunil Shetty Business: રેસ્ટોરન્ટથી લઈને શોરૂમના માલિક છે શેટ્ટી અન્ના, આ બિઝનેસથી કમાય છે દર મહિને કરોડો રૂપિયા

malay kotecha25/06/202225/06/2022
25/06/202225/06/20220

‘હજી સુધી બાકી રહેલા રૂપિયા મળ્યાં નથી’, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રીએ મેકર્સ પર લગાવ્યો આરોપ

malay kotecha24/06/202224/06/2022
24/06/202224/06/20220

The Kapil Sharma Show Season 3: 80 અપિસોડ માટે કપિલ શર્માએ લીધી આટલા કરોડ ફી, જાણીને દિવસમાં દેખાઈ જશે તારા

malay kotecha23/06/2022
23/06/20220

Shabaash Mithu Trailer: તાપસી પન્નુની ફિલ્મ ‘Shabaash Mithu’નું ટ્રેલર રિલીઝ, ભાવુક કરી દેશે મિતાલી રાજની કહાની

malay kotecha20/06/2022
20/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

જુગાર પર ત્રાટકી પોલીસ, ધ્રાંગધ્રાના હરીપર રોડ નજીકથી ઝડપાયા 4 શકુની

malay kotecha27/06/2022
27/06/20220

President Election 2022: રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને મળ્યું વધું એક પાર્ટીનું સમર્થન, આજે નોંધાવશે ઉમેદવારી

malay kotecha27/06/2022
27/06/20220

Maharashtra Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક, રાજ ઠાકરેની MNSમાં જોડાઈ શકે છે શિંદે જૂથ!

malay kotecha27/06/2022
27/06/20220

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હડકાયા કૂતરાનો આતંક, સ્થાનિકો અને વેપારીઓમાં ફફડાટ

malay kotecha27/06/2022
27/06/20220

રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદમાં લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી, ઘરવખરીમાં થયું ભારે નુકસાન

malay kotecha27/06/2022
27/06/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો