નવી દિલ્હીઃ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “એવા સમયે જ્યારે આખો દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે મને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ગ્રેનાઈટમાંથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. આ તેમના પ્રત્યે ભારતની કૃતજ્ઞતાનું પ્રતિક હશે.”
At a time when the entire nation is marking the 125th birth anniversary of Netaji Subhas Chandra Bose, I am glad to share that his grand statue, made of granite, will be installed at India Gate. This would be a symbol of India’s indebtedness to him. pic.twitter.com/dafCbxFclK
Advertisement— Narendra Modi (@narendramodi) January 21, 2022
પીએમ મોદીએ કહ્યું કે, જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા તૈયાર નહીં થાય, ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે. હું 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિ પર હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ.
Till the grand statue of Netaji Bose is completed, a hologram statue of his would be present at the same place. I will unveil the hologram statue on 23rd January, Netaji’s birth anniversary. pic.twitter.com/jsxFJwEkSJ
— Narendra Modi (@narendramodi) January 21, 2022
અમર જવાન જ્યોતિના વિવાદ વચ્ચે પીએમની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ખરેખર, સરકારે અમર જવાન જ્યોતિને નેશનલ વોર મેમોરિયલની લૌની સાથે મર્જ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને લઇને કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે.