Corona Cases Today in India: કોરોનાના કેસોમાં આજે ગુરુવારે રેકોર્ડબ્રેક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં ત્રણ લાખથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. આ સાથે દેશમાં છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ સમયગાળામાં 491 લોકોએ કોરોનાથી જીવ પણ ગુમાવ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,17,532 નવા કેસ નોંધાયા છે અને 491 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 87 હજાર 693 થઈ ગઈ છે.
આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,23,990 લોકોએ કોરોનાને હરાવ્યો છે. અત્યાર સુધીમાં 3 કરોડ 58 લાખ 7 હજાર 29 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 19,24,051 થઈ ગઈ છે.
India reports 3,17,532 new COVID cases, 491 deaths, and 2,23,990 recoveries in the last 24 hours.
Active case: 19,24,051
Daily positivity rate: 16.41%9,287 total Omicron cases detected so far; an increase of 3.63% since yesterday pic.twitter.com/L4KnawIEAd
Advertisement— ANI (@ANI) January 20, 2022
આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના 9,287 કેસ નોંધાયા છે. દેશમાં ડેઇલી પોઝિટિવિટી રેટ હવે 16.41% છે, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 16.06 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ એક્ટિવ કેસ વધીને 19,24,051 થયા છે.
રસીકરણને કોરોના મહામારીને હરાવવાનું સૌથી મોટું હથિયાર જણાવવામાં આવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં એન્ટી-કોરોના વાયરસ રસીના 159 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 73 લાખ 38 હજાર 592 ડોઝ આપવામાં આવ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 19 જાન્યુઆરી સુધી દેશમાં 70,93,56,830 કોવિડ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી ગઈકાલે દેશમાં 19,35,180 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.