ફરી એકવાર ગુજરાતના મેગા સિટી અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર દોડતુ થયું છે.
અમદાવાદ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે કોરોનાના કેસ વધતા મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના જાહેર સ્થળો ઉપર ટેસ્ટીંગ ડોમ ઉભા કરીને ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા મુજબ, હાલ શહેરમાં બે હજાર જેટલા એક્ટીવ કેસ હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી 3 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા મનપાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ અને એરપોર્ટ સહિતના જાહેર સ્થળો ઉપર ટેસ્ટીંગ ડોમ ઉભા કરવામાં આવશે. એટલું જ નહીં કોરોનાના ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં કોરોના રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે.