તા-02-08-2022 ગાંધી-સરદારની ભૂમિને કલંકિત કરતી લઠ્ઠાકાંડની ઘટના અંગે ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે અમદાવાદ ખાતે યોજાયેલ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, પદાધિકારીઓ, આગેવાનોને આક્રમકતાથી સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના સફળ પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ અને દારૂના બેરોકટોક ચાલી રહેલા વ્યાપારમાં ભાજપ અને તેના મળતિયાઓની ભાગીદારી છે. રોજીંદ ગામના સરપંચ બે-બે વાર લેખિતમાં રજૂઆત કરે. ચુટાયેલા ધારાસભ્ય સંકલન સમિતિમાં રજૂઆત કરે તેમ છતાં બુટલેગર, ગામના અસામાજિક તત્વોને છાવરતી હોય તેમ ભાજપ સરકાર હાથ પર હાથ ધરી બેસી રહી. ૭૦થી વધુએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. ભાજપની દારૂબંદીની પોલખોલી ખુલી ગયેલ છે. બેરોકટોક દારૂના વેચાણ વિરુદ્ધ કોઈ આવાજ ઉઠાવે ત્યારે ભાજપના કુશાસનમાં ફરિયાદ કરનારને મારી નાખવાની ધમકીઓ અપાય છે. ભાજપના કોઈ પણ હોદેદારોએ આ ગામોમાં પીડિત પરિવારજનોની મુલાકાત નથી લીધી. ૭૦થી વધારે નિર્દોષ ગરીબ – મધ્યમવર્ગના લોકોએ જીવ ગુમાવ્યા છે, ગુજરાતની બહેન-દિકરી-માતા વિધવા થઈ તેનો કોઈ અફસોસ ભાજપ સરકારને નથી, ગાંધી અને સરદારના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ગુજરાતના દરેક શહેર – જીલ્લા – દરેક વિસ્તારોમાં દારૂનું વેચાણ ચાલુ છે. ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે. ગુજરાતના પોર્ટો ઉપર ૧ લાખ ૭૫ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું સતત છાસવારે ડ્રગ્સ પકડાયા કરે જ્યારે એવુ લાગી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ઘુસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું રાજ્યની સરકાર જે બુટલેગરોને છાવરી રહી છે, ગૃહમંત્રીએ પોતે પરિવારોની વીઝીટ ના કરી. વિધવા થયેલ બહેનોના આંસુ લુછવાનો પ્રયત્ન ના કર્યો ત્યારે ગૃહમંત્રીએ પોતાના પદ ઉપર રહેવાનો અધિકાર નથી. ગૃહમંત્રી પોતાની જવાબદારી સ્વિકારી તાત્કાલીક રાજીનામું આપે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
“લઠ્ઠાકાંડ – શરાબકાંડ અંગે ગૃહમંત્રી રાજીનામું આપે” ની માંગ કરતા અમદાવાદ ખાતે યોજાયેલ ધરણાં પ્રદર્શનમાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં થયેલ લઠ્ઠાકાંડ એ ભાજપનો માનવ સર્જીત હત્યાકાંડ છે. ગુજરાતમાં વારંવાર બનતા લઠ્ઠાકાંડે ભાજપની દારૂબંધીની પોલ ખોલી દીધી છે. સખત અમલીકરણ, વારંવાર ગૃહખાતાની કામગીરીની વાહવાહી કરી પોતાની પીઠ ધાબડતા ગૃહમંત્રીની નિષ્ફળતાને કારણે આજે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના વેપલા ચારી રહ્યાં છે. સ્કુલ – કોલેજોમાં ડ્રગ્સનો પગ પેસારો થયો છે. પાનના ગલ્લા, ચાર રસ્તા ઉપર ડ્રગ્સના સેવન માટેની સામગ્રી આસાનીથી મળી રહે છે. રેલ્વે-પોર્ટ-એરપોર્ટ તમામ માર્ગથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઘુસી રહ્યું છે. બોટાદ-અમદાવાદમાં બનેલી દુઃખદ ઘટનામાં ભાજપના કોઈપણ કેન્દ્રીય નેતાગીરીને સાંત્વના પાઠવવાનો સમય મળ્યો નથી. કોંગ્રેસ પક્ષના આદરણીય રાહુલ ગાંધીએ ગુજરાતના યુવાનોના ભવિષ્યની ચિંતા કરતા ગાંધી – સરદારના ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં કેવી રીતે આવ્યું. ? તે અંગે સવાલો કર્યા હતા. ભાજપ ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા બંધ કરે અને ગુજરાતના ગૃહમંત્રી પોતાની નિષ્ફળતા સ્વિકારી તાત્કાલીક રાજીનામું આપે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
“લઠ્ઠાકાંડ – શરાબકાંડ અંગે ગૃહમંત્રી રાજીનામું આપે” ની માંગ કરતા અમદાવાદ ખાતે યોજાયેલ ધરણાં પ્રદર્શનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહિલા અધ્યક્ષ નેટ્ટા ડીસોઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી, હિંમતસિંહ પટેલ, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઊપનેતા શૈલેષભાઈ પરમાર, વરિષ્ઠ આગેવાનો બાલુભાઈ પટેલ, રાજુભાઈ પરમાર, ડૉ. ચંદ્રિકાબેન ચુડાસમા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જેનીબેન ઠુમ્મર, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, વિરજીભાઈ ઠુમ્મર, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ બીમલ શાહ, ડૉ. જીતુભાઈ પટેલ, નીશીત વ્યાસ, ગીતાબેન પટેલ, કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, અમદાવાદ વિરોધપક્ષના નેતા શેહઝાદખાન પઠાણ, હિમાંશુ પટેલ, બળદેવભાઈ લુણી, રાજુભાઈ બ્રહ્મભટ્ટ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.