जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાનનો સુરતથી કરાવ્યો શુભારંભ, તિરંગો લહેરાવી સુરતીઓએ કર્યું અભિવાદન
slider news વાત સરકારની

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાનનો સુરતથી કરાવ્યો શુભારંભ, તિરંગો લહેરાવી સુરતીઓએ કર્યું અભિવાદન

04/08/202204/08/2022
Share0

રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં તા.૪થી ૧૨ ઓગષ્ટ દરમિયાન યોજાનારી રાજ્યવ્યાપી ‘તિરંગા પદયાત્રા’નો સુરત મહાનગરથી આજે શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, દેશની એકતા, અખંડિતતા અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના પ્રતિક તિરંગાને દેશના તમામ ઘરોમાં લહેરાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહ્વાનને રાજ્ય સરકારે ઝીલી લઈને રાજ્યના એક કરોડ ઘરો પર તિરંગો લહેરાવવા સંકલ્પબદ્ધ છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અવસરે રાષ્ટ્રભાવના સાથે ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે સુરતના પીપલોદ ખાતે આયોજિત ‘તિરંગા પદયાત્રા’ને તિરંગો લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ મુખ્યમંત્રી ‘તિરંગા પદયાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા. લાલભાઈ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રાના રૂટ પર મુખ્યમંત્રી અને મહાનુભાવોનું તિરંગા લહેરાવી શહેરીજનોએ હર્ષનાદ સાથે અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીએ પણ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાનનો શુભારંભ. સ્થળ : સુરત #HarGharTiranga https://t.co/sTBBYdzt0u

Advertisement

— Bhupendra Patel (@Bhupendrapbjp) August 4, 2022

મુખ્યમંત્રી સહિત મહાનુભાવો, પદાધિકારીઓએ વિવિધ અહીં ઉભા કરાયેલા તિરંગા વિતરણ બુથ પરથી ડિજિટલ પેમેન્ટ કરી તિરંગો ખરીદ્યો હતો. પદયાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા. મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Advertisement

મુખ્યમંત્રીએ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આયોજિત સમારોહને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવ જગાવવા સુરતની તિરંગા પદયાત્રા પ્રેરણારૂપ બનશે.

મુખ્યમંત્રીએ પ્રત્યેક રાજ્યના તમામ નાગરિકો ઘર પર તિરંગો લહેરાવે અને રાષ્ટ્રભાવનાના આ યજ્ઞમાં ઉત્સાહભેર જોડાઈને મા ભારતીનું ગૌરવ વધારે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે સુરતવાસીઓના જોમજુસ્સાની પ્રશંસા કરતા કહ્યું કે, ખાનપાન અને નિખાલસતા માટે જાણીતા મોજીલા સુરતીઓ રાષ્ટ્રભક્તિમાં પણ અગ્રેસર છે. સુરતીઓ ઘરે ઘરે તિરંગો લહેરાવી રાષ્ટ્રચેતનાની આ પહેલમાં યોગદાન આપે એવી આકાંક્ષા પણ વ્યક્ત કરી તેમણે તિરંગા યાત્રાના સુદ્રઢ આયોજન બદલ સુરત મહાનગરપાલિકાના સુત્રધારોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક સંબોધન કરી સુરતવાસીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, સુરતીઓએ દેશભરમાં તિરંગા યાત્રા મારફત દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રવાદનો સંદેશ પહોંચાડવાની જવાબદારી લીધી છે. સુરતના યુવાનો-બાળકોએ પોતાના પોકેટ મનીથી તિરંગો ઝંડો ખરીદીને યાત્રામાં જોડાયા છે, જે સરાહનીય છે.

Advertisement

રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમા તારીખ ૪ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન યોજનારી રાજ્યવ્યાપી તિરંગા પદયાત્રાનો સુરત મહાનગરથી આજે દેશભક્તિથી સભર વાતાવરણમાં પ્રારંભ કરાવ્યો. #HarGharTiranga pic.twitter.com/ClVGw2zEVy

— Bhupendra Patel (@Bhupendrapbjp) August 4, 2022

Advertisement

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આઝાદીના ૭૫ વર્ષની પૂર્ણતાના અવસરે દેશવાસીઓમાં ફરી એક વાર એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર જાગી છે એમ જણાવતા અન્ય પાસેથી તિરંગો ભેટ લેવાના બદલે સ્વબચતમાંથી રાષ્ટ્રધ્વજ ખરીદવા ભારપૂર્વક આગ્રહ કર્યો હતો.

આ પ્રસંગે પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે સુરતવાસીઓના દેશભક્તિના જોમજુસ્સાને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હજારો યુવાનો, ક્રાંતિકારીઓ, આઝાદીના લડવૈયાઓના બલિદાનના પ્રતાપે આજે દેશવાસીઓ મુક્તપણે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. રાજ્યના ૧ કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના સંકલ્પને સૌ સાથે મળીને પૂર્ણ કરીશું એમ તેમણે ઉમેર્યું હતું.

રાષ્ટ્રધ્વજની આચારસંહિતામાં સુગમ બદલાવ કરીને કેન્દ્ર સરકારે કોઈ પણ સ્થળે, રાતદિન રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સ્વતંત્રતા આપી છે, ત્યારે વડાપ્રધાનની ‘હર ઘર તિરંગા’ની પહેલ અંતર્ગત જાતે તિરંગો ખરીદવા અને આ અભિયાનમાં ઉત્સાહથી જોડાવા સી.આર.પાટીલે અનુરોધ કર્યો હતો.

Advertisement

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ‘હર ઘર તિરંગા’નું થીમ સોંગ લોન્ચ કર્યું હતું. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગાના ધ્યેય સાથે તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન-સન્માન સાથે લહેરાવવાની સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.

પદયાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પોર્ટ્સ ગ્રુપ અને એસોસિએશનો, રમતવીરો, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંગઠનો, પર્ફોર્મિંગ આર્ટ્સ સંસ્થાઓ, ડાયમંડ અને ટેક્ષટાઈલ એસો., ફોસ્ટા, ક્રેડાઈ, NCC, NSS, નહેરૂ યુવા કેન્દ્ર, ONGC, ક્રિભકો, અદાણી, રિલાયન્સ, AMNS જેવા હજીરાના ઔદ્યોગિક સમૂહો, વિવિધ સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિભર્યા માહોલમાં ઉત્સાહભેર પદયાત્રામાં જોડાયા હતા. અન્ય રાજ્યોના સંગઠનો, ખાસ કરીને ઓડિયા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ સહિતના રાજ્યોના નાગરિકો તેમજ તેમના સાંસ્કૃતિક ગૃપો પણ જોડાયા હતા.

તિરંગાયાત્રામાં નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા, કૃષિ, ઉર્જા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર અજય તોમર, સિટી પ્રાંત અધિકારી જી.વી.મિયાણી, સાંસદ-ધારાસભ્યઓ, સહિત જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકાના અધિકારીઓ, હજારો યુવાનો, વિદ્યાર્થીઓ, નાગરિકો જોડાયા હતા.

Advertisement
Advertisement

#BhupendraPatel#chiefminister#Gujarat#HarGharTiranga#surat
Share0
પાછલી પોસ્ટ
માસુમનો શું વાંક? સાંબરકાંઠામાં ખેતરના માલિકને જમીનમાં કંઇક હલતું દેખાયું, જમીન ખોદી તો મળી આવી જીવિત નવજાત બાળકી
આગળની પોસ્ટ
મહેસાણા : વિજાપુરમાં e FRI ને લઈને જાગૃતિ સેમિનાર યોજાયો

Related posts

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220

છૂટાછેડા પછી પણ પોતાની પત્નીઓને દર અઠવાડિયે મળવા જાય છે આમિર ખાન, કારણ જાણીને ચકરાઈ જશે મગજ

vidhata gothi03/08/2022
03/08/20220

લગ્નના 3 મહિનામાં જ આલિયા ભટ્ટને થઈ ગઈ રણબીર કપૂર સાથે સમસ્યા, બધાની સામે કરવા લાગી ફરિયાદ

vidhata gothi02/08/2022
02/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022
07/08/20220

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022
07/08/202207/08/20220

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022
07/08/20220

સુરેન્દ્રનગર : લખતરના ગામડાઓમાંથી પીજીવીસીલીએલ વિજિલન્સ વિભાગ દ્વારા વીજચોરી પકડી પાડી

paras joshi07/08/2022
07/08/20220

CWG 2022: ભારતને મળ્યો 10મો ગોલ્ડ મેડલ, રવિ દહિયાએ કુસ્તીમાં જીત્યો ગોલ્ડ

paras joshi06/08/2022
06/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો