વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના લોન્ચ કરવાના છે. આ સાથે ઉત્તર પ્રદેશની એક દિવસની મુલાકાતે તેઓ એક સાથે નવ મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કરવાના છે.
દેશની સરકાર દેશવાસીઓને સતત અને સારી તબીબી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નો કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે જાહેર કરેલા એક નિવેદન મુજબ, સરકારે દેશમાં એમબીબીએસની બેઠકો વધારવા માટે વર્તમાન રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકારની મેડિકલ કોલેજોના અપગ્રેડેશન માટે લગભગ રૂ. 2,451.1 કરોડ રુપિયા પણ ફાળવ્યા છે.
કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ જે જિલ્લાઓમાં સરકારી મેડિકલ કોલેજો કે ખાનગી મેડિકલ કોલેજો નથી ત્યાં મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી છે.
આ દરમિયાન, વંચિત, પછાત અને મહત્વાકાંક્ષી જિલ્લાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે.જેથી કરી પછાત ગામો તબીબી સુવિધાઓછી વંચિત ન રહે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ જે જિલ્લાઓમાં સરકારી મેડિકલ કોલેજો કે ખાનગી મેડિકલ કોલેજો નથી ત્યાં મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી છે.
આ દરમિયાન, વંચિત, પછાત અને મહત્વાકાંક્ષી જિલ્લાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે.જેથી કરી પછાત ગામો તબીબી સુવિધાઓથી વંચિત ન રહે. યોજનાના ત્રણ તબક્કાઓ હેઠળ, 157 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 63 મેડિકલ કોલેજો પહેલાથી કાર્યરત છે.
કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ સ્થાપવામાં આવી રહેલી 157 નવી કોલેજોમાંથી 39 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં સ્થાપવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનુક્રમે ઉત્તર પૂર્વીય રાજ્યો અને વિશેષ વર્ગના રાજ્યોની ભંડોળની પદ્ધતિ 90:10 છે. જોકે, અન્ય રાજ્યો માટે રેશિયો 60:40 છે, જેમાં સીટ દીઠ રૂ. 1.20 કરોડ ખર્ચની ઉપલી મર્યાદા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે 15 રાજ્યોમાં કુલ 48 કોલેજોને 3 હજાર 325 બેઠકો વધારવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાં કેન્દ્રનો 6 હજાર 719.11 કરોડનો હિસ્સો બહાર પાડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રાલય, મંત્રાલય કેન્દ્રિય પ્રાયોજિત યોજનાનો અમલ પણ કરી રહ્યું છે જેનો ઉદ્દેશ સરકારી કોલેજોમાં 10હજાર એમબીબીએસ બેઠકો બનાવવાનો છે. MBBSની બેઠકો વધારવા માટે હાલની રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની મેડિકલ કોલેજોને અપગ્રેડ કરવાની યોજના છે.