Dearness Allowance: દેશના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે વધતી મોંઘવારીની વચ્ચે રાહતના સમાચાર આવી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર એ છે કે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધી શકે છે. આજે કેબિનેટની બેઠકમાં આ લોકોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો સંભવ છે. આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
આજે કેબિનેટની બેઠકમાં લેવામાં આવી શકે છે નિર્ણય
મોદી સરકાર કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં મોદી સરકાર 3 ટકાના વધારાની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આજે કેબિનેટની બેઠકમાં મોદી સરકાર મોંઘવારી ભથ્થામાં એટલે કે DA વધારવાની જાહેરાત કરી શકે છે.
મળી શકે છે મોટો ફાયદો
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને 31 ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. પરંતુ સરકાર તેને 3 ટકા વધારીને 34 ટકા કરી શકે છે. કેબિનેટની આ મહત્વપૂર્ણ બેઠક બજેટ સત્રના બીજા રાઉન્ડમાં રાખવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓને માર્ચના પગારની સાથે નવા મોંઘવારી ભથ્થાની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવશે. જો આજે સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરે છે, તો કેન્દ્રીય કર્મચારીઓને 73,440 રૂપિયાથી લઈને 2,32,152 20 રૂપિયા સુધીના એરિયર્સનો લાભ મળશે.
લાખો કર્મચારીઓને થશે લાભ
મોદી સરકાર મોંઘવારી ભથ્થાને 31 ટકાથી વધારીને 34 ટકા કરી શકે છે. જો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થું (DA વધારો) અને મોંઘવારી રાહત (DR વધારો) મળે છે તો લાખો પરિવારો ખુશ થઈ જશે. મોદી સરકારના આ નિર્ણયથી 50 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનધારકોને ફાયદો થવાનો છે.