વિશ્વના વિવિધ દેશોમાં લોકો જુદી-જુદી પરંપરાઓનું પાલન કરે છે. ઘણા દેશોમાં વિચિત્ર પરંપરાઓ છે, જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. વિશ્વમાં માનવીના અંતિમ સંસ્કાર પણ અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જો તમે આ વિશે જાણશો, તો તમે કહેશો કે લોકો આવું કેવી રીતે કરી શકે છે. દક્ષિણ અમેરિકામાં એક જનજાતિ છે જે માનવીના અંતિમ સંસ્કાર બાદ રાખનો સૂપ બનાવીને પી જાય છે અને આ જનજાતિનું નામ છે યાનોમામી (Yanomami).
આ જાણીને તમને જરૂર આશ્ચર્ય થશે, પરંતુ આ જનજાતિના લોકો માટે આ સામાન્ય વાત છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ જાતિના લોકો તેમના પરિવારના મૃતક લોકોનું માંસ પણ ખાય છે. ચાલો જાણીએ શા માટે આ જનજાતિના લોકો આવી પરંપરાઓનું પાલન કરે છે. આ જનજાતિ સાથે જોડાયેલી પરંપરાઓ અને તેનાથી સંબંધિત કયા નિયમો છે, જેનું આ લોકો પાલન કરે છે.
યાનોમાની જનજાતિ દક્ષિણ અમેરિકામાં રહે છે. વિશ્વમાં લોકો આ જનજાતિને યાનમ અથવા સેનેમા તરીકે પણ ઓળખે છે. દક્ષિણ અમેરિકા સિવાય આ જાતિ વેનેઝુએલા અને બ્રાઝિલના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ આદિવાસી જનજાતિની સભ્યતા પશ્ચિમી સંસ્કૃતિથી સાવ અલગ છે. આ જાતિના લોકો પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરે છે.
જાણો કેવી રીતે કરવામાં આવે છે અંતિમ સંસ્કાર
આ જનજાતિમાં અંતિમ સંસ્કાર કરવાની અનોખી પરંપરા છે. આ પરંપરાને એન્ડોકેનિબલિઝ્મ કહેવામાં આવે છે. આ પરંપરાને અનુસરવા માટે આ જનજાતિના લોકો તેમના પરિવારના મૃતક વ્યક્તિનું માંસ ખાય છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, જો આ જનજાતિમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો તેના મૃતદેહને પાંદડા અને અન્ય વસ્તુઓથી ઢાંકી દેવામાં આવે છે. આ પછી જે શરીર બચી જાય છે, તેના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. આ પછી બચેલી રાખનો આ જનજાતિના લોકો સૂપ બનાવે છે અને તેને પીવે છે. તેઓ તેમની પરંપરાઓને કારણે આવું કરે છે.
યાનોમામી જનજાતિના લોકો મૃત શરીર સાથે આવું એટલા માટે કરે છે કારણ કે એવું માનવામાં આવે છે કે કોઈના મૃત્યુ પછી તેની આત્માની રક્ષા કરવી જોઈએ. આ જનજાતિમાં એવી પરંપરા છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત શરીર સંબંધીઓ દ્વારા ખાવામાં આવે ત્યારે જ તેની આત્માને શાંતિ મળે છે. એટલા માટે આ જાતિના લોકો અંતિમ સંસ્કાર પછી રાખ ખાય છે. તેમનું માનવું છે કે, આમ કરવાથી મૃત વ્યક્તિને શાંતિ મળે છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિની કોઈ દુશ્મન અથવા સંબંધી દ્વારા હત્યા કરવામાં આવે છે, તો તેના અંતિમ સંસ્કાર અલગ રીતે કરવામાં આવે છે. આ સ્થિતિમાં માત્ર મહિલાઓ જ રાખ ખાય છે.