Temple Vastu Tips: જીવનને સફળ બનાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલી વાતોનું પાલન જરૂરી છે. ઘરમાં સકારાત્મકતા લાવવા અને પરિવારનો માહોલ ખુશખુશાલ બનાવી રાખવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુમાં મંદિરને લઈને કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ વાતો કે નિયમોનું ધ્યાન ન રાખવામાં આવે, તો વ્યક્તિને ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. સાથે જ, વ્યક્તિને પૂજાનું ફળ પણ પ્રાપ્ત નથી થતું.
ઘરેથી જ લઈને જાઓ જળ
ઘણીવાર લોકો મંદિર દર્શન માટે જાય છે, તો ઘરેથી ખાલી હાથે ચાલ્યા જાય છે. મંદિરમાંથી જ જળ લઈને ભગવાનને અર્પિત કરે છે. પણ વાસ્તુમાં તેને ખોટું ગણવામાં આવ્યું છે. વાસ્તુ જાણકારોનું કહેવું છે કે મંદિર જતી વખતે ઘરેથી જળ ભરીને લોટો લઈને જવું જોઈએ.
આમ કરવાથી ઘરમાં કંગાળી નથી આવતી. જ્યારે, મંદિરેથી પરત આવતી વખતે પણ જળ ભરીને જ લાવવું જોઈએ. જો તમે ખાલી લોટો લાવો છો, તો તેનાથી તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. અને વ્યક્તિને પૈસાની કમી થઈ જાય છે.
અલગ રાખો પૂજાના કપડા
વાસ્તુ શાસ્ત્રના અનુસાર પૂજાના કપડાને અન્ય કપડાથી અલગ જ રાખવા જોઈએ. પૂજાના સમયે પહેરવામાં આવતા કપડાને ફક્ત પૂજા માટે જ રાખવા જોઈએ. જેનાથી ઘણા પ્રકારના લાભ થાય છે. કહેવાય છે કે આ કપડાને પહેરીને ભોજન ન કરવું જોઈએ. એટલું જ નહીં, આ કપડાને પહેરીને ઉંઘવાની પણ મનાઈ હોય છે. પૂજાના અલગ કપડા હોવાથી તેમાં પૉઝિટિવ એનર્જી ભરાઈ જાય છે.
ઘરમાં સંધ્યાના સમયે જરૂર પ્રગટાવો દીવો
વાસ્તુ જાણકારોનું કહેવું છે કે સાંજના સમયે દીવો પ્રગટાવીને આખા ઘરમાં ફેરવવામાં આવે, તો ઘરની નેગેટિવ ઉર્જા નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, તેનાથી પૉઝિટિવિટી આવે છે. માટે સાંજના સમયે ઘરમાં દીવો જરૂર પ્રગટાવો. તેનાથી થોડાક જ દિવસોમાં ઘરમાંથી નકારાત્મકતાનો નાશ થશે.