जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • ‘સ્થાનિક સ્વરાજની-ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વસ્તીના ધોરણે આપવામાં આવે અનામત’, અમિત ચાવડાનો CM ભૂપેન્દ્ર પટેલને પત્ર
slider news વાત વિપક્ષની

‘સ્થાનિક સ્વરાજની-ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વસ્તીના ધોરણે આપવામાં આવે અનામત’, અમિત ચાવડાનો CM ભૂપેન્દ્ર પટેલને પત્ર

01/08/2022
Share0

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને અંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ – વિકસતી જાતિ(ઓબીસી)ને સંવિધાનની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજની – ગ્રામ પંચાયતની ચુંટણીમાં વસ્તીના ધોરણે અનામત આપવા તથા બજેટમાં વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી છે.

અમિત ચાવડાએ પત્રમાં લખ્યું છે કે, રાજ્યની કુલ વસ્તીના પર% થી વધુ વસ્તી ધરાવતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ની ૧૪૬ થી વધુ જાતિઓના લોકોના વિકાસ માટે આઝાદી પછી દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાચ દરજ્જો અને સમાનતાની ખાતરી ભારતના સંવિધાને આપેલ છે. જેના ભાગરૂપે ગ્રામ પંચાયત – તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં થતી ચુંટણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવા શુભ આશયથી વસ્તીના ધોરણે ૧૦% અનામત જગ્યાનો લાભ આપવામાં આવેલ હતો.

Advertisement

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકો માટે માંડલ કમિશને ૨૭% જગ્યા અનામત રાખવાનું સૂચવેલ હોવા છતાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૧૦% અનામત જગ્યા રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી, જે પુરતી ન હતી. રાજય સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકો માટેની આ ૧૦% અનામતની જોગવાઈમાં વધારો કરીને ૨૭ % કરવાની જયારે તાતી જરૂર હતી ત્યારે આ ગરીબ અને પછાત વર્ગના વિકાસને રુંધવા માટે જે ૧૦% અનામત હતી તે પણ નાબૂદ કરીને આ પછાત વર્ગના લોકોને ન ભરી શકાય તેવું નુકશાન આ સરકાર દ્વારા થઇ રહ્યું છે, જે ખુબ જ દુઃખદ છે.

તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો – વિકસતી જાતિ(ઓબીસી)ના લોકોના હિતને નુકશાન ન થાય તે માટે અમારી આપને નમ્ર વિનંતી છે કે આ પછાત વર્ગના લોકોના હિતને નુકશાન ન થાય તે માટે નામદાર સર્વોચ્ચ અદાલતની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી ભારતના સંવિધાનને ધ્યાને લઇ આ પછાત વર્ગના લોકોનું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ જળવાઈ રહે અને ઓબીસી સમાજની માંગણી – લાગણી મુજબની નીચે મુજબની માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી વિનંતી,

૧. રાજયમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરુ કરી ત્રણ માસમાં વસ્તી ગણતરીનું કામ પૂર્ણ કરવામાં આવે.

Advertisement

૨. જ્યાં સુધી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ થઈ ન જાય, ત્યાં સુધી ગ્રામ પંચાયતની ચુંટણીઓ મુલતવી રાખવામાં આવે.

૩, ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો – વિકસિત જાતિ(ઓબીસી)ના લોકોની વસ્તી પર % છે. આથી આ વર્ગ માટે સંવિધાનની જોગવાઈ તથા પ્રવર્તમાન નિયમો મુજબ મધ્યપ્રદેશમાં અમલી નીતિ મુજબ ગુજરાતમાં પણ ગ્રામ પંચાયત સહીત તમામ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ૨૭ % સીટો અનામત રાખવામાં આવશે તેવી નીતિ વિષયક જાહેરાત કરવામાં આવે.

૪, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોની વસ્તી ગુજરાતમાં પર % થી વધુ હોવા છતાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ પછાત વર્ગના લાભાર્થીઓ માટે લાભ કરતા યોજનાઓમાં પુરતુ બજેટ ફાળવવામાં આવતું નથી. રાજ્યની પર % વસ્તીને છેલ્લા ૨૦ વર્ષથી બજેટમાં ૧ % રકમ પણ ફાળવવામાં આવતી નથી. અને ઘણા કિસ્સામાં રાજ્ય સરકારની ઉદાસીનતાના કારણે ફાળવેલ ગ્રાન્ટનો પુરતો ઉપયોગ પણ થતો નથી. જેના કારણે આ પછાત વર્ગના લોકોના વિકાસ માટેની યોજનાઓનો યોગ્ય લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોચતો નથી. આથી રાજ્યના બજેટમાં આ પછાત વર્ગના વિકાસ માટે તેમની વસ્તીને ધ્યાને લઈ, તેમની ગરીબાઈને ધ્યાને લઈ તથા તેમની જરૂરીયાતને ધ્યાને લઈ તેમનો યોગ્ય વિકાસ થાય તે મુજબ વસ્તીના ધોરણે બજેટમાં જોગવાઈ કરવામાં આવે.

Advertisement

૫. છેલ્લા વર્ષોથી સરકારી કચેરીઓ, અર્ધ કચેરીઓ, બોર્ડ અને કોર્પોરેશનમાં આઉટસોર્સિંગ – કોન્ટ્રાકટ પધ્ધતિથી ભરતી કરવામાં આવે છે, જેમાં અનામતની જોગવાઈ લાગુ કરેલ ન લેવાથી આઉટસોર્સિંગ – કોન્ટ્રાકટ પધ્ધતિથી જે ભરતી કરવામાં આવે છે, તેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે ૨૭ % જગ્યા અનામત રાખવા અંગેના આદેશો કરવામાં આવે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોને અપાતો અનામતનો લાભ એ ભારતના સંવિધાને આપેલ સમાનતાના અધિકાર હેઠળ મળેલ લાભ છે. દેશના વિકાસમાં પાયાનું પ્રદાન કરતાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોને આગળ વધવાની તક આપવાથી ભારતની લોકશાહી મજબૂત બનવાની છે, આથી આપશ્રી અમારી આ માંગણી ધ્યાને લઇ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ – વિકસતી જાતિ(ઓબીસી)ને સંવિધાનની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજ્યની – ગ્રામ પંચાયતની ચુંટણીમાં વસ્તીના ધોરણે અનામત આપવા અંગે તથા બજેટમાં વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવા માટે તાત્કાલિક નિર્ણય કરવા વિનંતી છે.

Advertisement

Advertisement

#AmitChavda#GramPanchayatelections#reservationLocal
Share0
પાછલી પોસ્ટ
CWG 2022: WWE સ્ટાર John Cena બન્યા ભારતીય વેઈટલિફ્ટર સંકેત મહાદેવના ચાહક, શેર કરી એક ખાસ તસવીર
આગળની પોસ્ટ
સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાવિકોનું ઘોડાપુર, ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના નાદથી વાતાવરણ શિવમય બન્યું

Related posts

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022
09/08/202209/08/20220

બનાસકાંઠા : ડીસાના સદરપુર ગામ નજીક બનાસ નદીમાં ધોધમાર વરસાદના પગલે નવા નીર આવ્યા

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

બનાસકાંઠા : ડીસાના રાણપુરમાં એકસાથે બે મંદિરમાં ચોરી થતા ખળભળાટ

paras joshi09/08/2022
09/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો