Akshaya Tritiya 2022 Shopping Muhurat: અક્ષય તૃતીયાનો દિવસ વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક છે. આ દિવસે આખો દિવસ શુભ મુહૂર્ત હોય છે એટલે કે આ દિવસે મુહૂર્ત કાઢ્યા વિના પણ લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, નવા કાર્યની શરૂઆત, ઘર-ગાડીની ખરીદી જેવા શુભ કાર્યો કરી શકાય છે. આ દિવસ ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી ચાલે છે, શુભ ફળ આપે છે અને તેમાં વૃદ્ધિ થાય છે. આ વખતે અક્ષય તૃતીયા 3 મેના રોજ મનાવવામાં આવશે.
ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ
અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ હોય છે, પરંતુ સોનાની વધતી કિંમતોને કારણે આ દિવસે સોનું ખરીદવું દરેક માટે શક્ય નથી. આવી સ્થિતિમાં જો તમે પણ સોનું ખરીદી શકતા નથી, તો કેટલીક અન્ય વસ્તુઓ પણ છે, જેને ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ વસ્તુઓથી માં લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
જવ
શાસ્ત્રો અનુસાર, જો તમે અક્ષય તૃતીયા પર સોનું નથી ખરીદી શકતા, તો તમે આ દિવસે જવ ખરીદી શકો છો. જવ ખરીદવું પણ સોનું ખરીદવા જેટલું જ શુભ માનવામાં આવે છે. આ જવ ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો. પછી તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો. તમારા ઘરમાં ધન અને સંપત્તિ દિવસેને દિવસે વધતી જશે.
કોડી
માં લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે. અક્ષય તૃતીયા પર કોડી ખરીદીને માં લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરો. માં લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરો અને પછીના દિવસે આ કોડીને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો.
શ્રીયંત્ર
અક્ષય તૃતીયા પર શ્રીયંત્ર ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે વિધિ-વિધાનથી શ્રી યંત્રની સ્થાપના કરો. એવું કહી શકાય કે અક્ષય તૃતીયાનો દિવસ ઘરમાં શ્રી યંત્ર લાવવા માટે સૌથી વધુ શુભ માનવામાં આવે છે.
દક્ષિણાવર્તી શંખ
દક્ષિણાવર્તી શંખ માં લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તેને ઘરમાં રાખવાથી હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે. પૂજા સ્થાન પર દક્ષિણાવર્તી શંખની સ્થાપના વિધિ-વિધાનથી કરો. યાદ રાખો કે પૂજા સ્થાન પર એકથી વધુ શંખ ન રાખો.
ઘડો
અક્ષય તૃતીયા પર ઘડો ખરીદવો પણ ખૂબ જ શુભ છે. ઘડાને ખરીદીને તેને ઘરમાં રાખો અને શરબત ભરીને દાન કરવું બંને શુભ છે.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.