जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • ગુજરાતમાં વીજ દરમાં વધારા સામે AAPએ વ્યક્ત કર્યો રોષ, વધારો પાછો નહીં ખેંચાય તો ‘આપ’ રસ્તા પર ઉતરી આંદોલન કરશે
slider news અમદાવાદ ગુજરાત મધ્ય ગુજરાત વાત વિપક્ષની

ગુજરાતમાં વીજ દરમાં વધારા સામે AAPએ વ્યક્ત કર્યો રોષ, વધારો પાછો નહીં ખેંચાય તો ‘આપ’ રસ્તા પર ઉતરી આંદોલન કરશે

14/05/2022
Share0

રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પર ફ્યૂઅલ સરચાર્જમાં 20 પૈસાનો વધારો થોપી દેવાયો છે. ફ્યૂઅલ સરચાર્જમાં પાંચ મહિનામાં બીજી વખત વધારો થતાં પ્રતિ યુનિટ 30 પૈસાનો બોજો વીજ વપરાશકારો પર પડ્યો છે. જેનાથી વીજ ગ્રાહકો પર દર મહિને 270 કરોડનું ભારણ આવશે.

ત્યારે ગુજરાતમાં વીજ દરમાં વધારા સામે આમ આદમી પાર્ટી દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ વીજળીના 100 યુનિટ પર 20 રૂપિયાના વધારાને પાછો ખેંચવા માગ કરી છે. એટલું જ નહીં વીજ દરમાં કરાયેલો વધારો પાછો નહીં ખેંચાય તો આપ રસ્તા પર ઉતરશે અને આંદોલન કરશે.

પ્રદેશ નેતા ઈસુદાન ગઢવીએ વીજળીના વધેલા ભાવ અંગે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ભાજપે મોંઘવારીનો ડામ આપવામાં કોઈ કસર બાકી રાખી નથી અને ભાજપ સરકાર વીજળીના ભાવમાં વધારો કરીને વિશ્વ રેકોર્ડ બનાવવા જઈ રહી છે.

Advertisement

દેશ અને ગુજરતની જનતા અત્યારે મોંઘવારીમાં પીસાઈ રહી છે.

આમ જનતા રસ્તા પર નથી આવી શકતી માટે તેમના વતી અમે જરૂર પડે આંદોલન કરીશું..!@isudan_gadhvi pic.twitter.com/JYamnpmvzk

— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 13, 2022

Advertisement

તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપ સરકારે ફરી વીજળીના ભાવમાં વધારો કરીને 1 કરોડ 30 લાખ લોકોને મોંઘવારીનો ડામ આપ્યો છે. જો સરકાર 100 યુનિટ વીજળીમાં 20 રૂપિયાના ભાવ વધારા ને પરત નહીં લે તો આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરીને આંદોલન શરૂ કરશે.

આ સરકારને પહેલા પણ ઘણા અહેવાલો આપવામાં આવ્યા છે અને જો સરકારે તે સહકાર સાથે કામ કર્યું હોત તો અત્યાર સુધીમાં ઘણા ફેરફારો આવી ગયા હોત. આ સરકાર ક્યારેય રજૂઆતમાં સમજતી નથી, અરજીઓમાં સમજતી નથી, જ્યારે કોઈ આંદોલન કરવા રસ્તા પર આવે છે ત્યારે તેને વિરોધ કરવા પણ દેતી નથી. આ લોકશાહીનું હનન છે.

Advertisement

ગુજરાતમાં ભાજપના રાજમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે.!

જનતા યોગ્ય સમયે ભ્રષ્ટ ભાજપને એનો રસ્તો બતાવી દેશે. :- @isudan_gadhvi pic.twitter.com/xwYW5Dc6uT

— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 13, 2022

Advertisement

ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, ભાજપ અંગ્રેજોની પદ્ધતિ અપનાવી રહી છે. આ દેશની જનતાએ અંગ્રેજોને પણ ભગાડી દીધા હતા તો બીજેપી કયા ખેતની મુળી છે? આ વખતે ગુજરાતની જનતા અહંકારી અને ભ્રષ્ટ ભાજપને ભગાડી દેશે.

Advertisement
Advertisement

#aap#Gujarat#increase#powertariff#PROTEST
Share0
પાછલી પોસ્ટ
હાર્દિક પટેલ આવતા અઠવાડિયે નવાજૂની કરવાના મૂડમાં, નારાજગી વચ્ચે આપ્યા મોટા સંકેત
આગળની પોસ્ટ
રાજ્યની 182 બેઠકો પર આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા, આ યાત્રા થકી લોકો સુધી પહોંચશે ‘આપ’

Related posts

ધરપકડ: રાજપીપળા જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલો કાચા કામનો કેદી વડોદરાથી ઝડપાયો

malay kotecha18/05/2022

હાય ગરમી…જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા મૂકાયા એસી-કુલરો, દરરોજ છાંટવામાં આવે છે પાણી

malay kotecha18/05/2022

સુત્રાપાડાઃ સરસ્વતી નદી ઉપર 2.14 કરોડના ખર્ચે મેજર બ્રિજનું કરાશે નિર્માણ, સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

malay kotecha18/05/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

આલિયા ભટ્ટ-રણબીર કપૂર બાદ હવે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગ્નના બંધનમાં બંધાશે, આ દિવસે વાગશે ઢોલ-શરણાઈ!

malay kotecha18/05/2022
18/05/20220

Kannada Actress Died: વજન ઘટાડવાના ચક્કરમાં અભિનેત્રીનું થયું નિધન, ખૂબ જ નાની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

malay kotecha17/05/2022
17/05/20220

TMKOC: તારક મહેતાના આ દિગ્ગજ કલાકાર શૉને કહેશે અલવિદા, શૂટિંગ પણ કર્યું બંધ!

malay kotecha17/05/2022
17/05/20220

Imran Khan Divorce: બોલિવૂડમાં વધુ એક સંબંધ તૂટ્યો!, ઈમરાન ખાને પત્ની અવંતિકા મલિકથી અલગ થવાનો લીધો નિર્ણય

malay kotecha16/05/2022
16/05/20220

અભિનેતા અક્ષય કુમાર કોરોનાથી સંક્રમિત, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ શકશે નહીં

paras joshi14/05/2022
14/05/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

ધરપકડ: રાજપીપળા જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલો કાચા કામનો કેદી વડોદરાથી ઝડપાયો

malay kotecha18/05/2022
18/05/20220

હાય ગરમી…જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા મૂકાયા એસી-કુલરો, દરરોજ છાંટવામાં આવે છે પાણી

malay kotecha18/05/2022
18/05/20220

સુત્રાપાડાઃ સરસ્વતી નદી ઉપર 2.14 કરોડના ખર્ચે મેજર બ્રિજનું કરાશે નિર્માણ, સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

malay kotecha18/05/2022
18/05/20220

Tata’s Big Plan: રિલાયન્સને ટક્કર આપવાની તૈયારીમાં ટાટા ગ્રુપ, 5 નવી કન્ઝ્યુમર બ્રાન્ડ ખરીદવાની છે યોજના

malay kotecha18/05/2022
18/05/20220

AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીની અમદાવાદમાંથી ધરપકડ, કરી હતી વાંધાજનક ટિપ્પણી

malay kotecha18/05/2022
18/05/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

JanManIndia1JanManIndia@JanManIndia1·
28m

હાય ગરમી…જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા મૂકાયા એસી-કુલરો, દરરોજ છાંટવામાં આવે છે પાણી

https://janmanindia.com/ac-coolers-placed-in-the-jungle-safari-park-to-protect-animals-from-heat-water-is-sprayed-daily/

#HardikPatel #WesupportProfRatanlal

Reply on Twitter 1526894466946441216Retweet on Twitter 1526894466946441216Like on Twitter 1526894466946441216Twitter 1526894466946441216
@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો