जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • 2002ના ગુજરાત રમખાણો મોદી સરકારનું ષડયંત્ર ન હતું : સુપ્રીમ કોર્ટ
slider news ભારત

2002ના ગુજરાત રમખાણો મોદી સરકારનું ષડયંત્ર ન હતું : સુપ્રીમ કોર્ટ

24/06/2022
Share0

2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોંગ્રેસ સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દેતા કોર્ટે એ પણ સમજાવ્યું કે વહીવટીતંત્રની કોઈપણ ખામી અથવા યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળતાને ષડયંત્ર સાથે જોડી શકાય નહીં. કોર્ટે પોતાની વાત સમજાવવા માટે કોરોના મહામારીનું ઉદાહરણ પણ આપ્યું.

જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેંચે અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ કપિલ સિબ્બલની દલીલોને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે રાજ્ય પ્રશાસનની નિષ્ફળતા અથવા નિષ્ક્રિયતા પર આધારિત ષડયંત્ર ન કહી શકાય. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય વહીવટીતંત્રના અમુક અધિકારીઓની નિષ્ફળતા અથવા નિષ્ક્રિયતા ગુનાહિત કાવતરાનું કારણ હોઈ શકે નહીં અથવા એવું ન કહી શકાય કે તે લઘુમતી સમુદાય વિરુદ્ધ રાજ્ય દ્વારા પ્રાયોજિત અપરાધ છે. કોર્ટે પોતાનો મુદ્દો સમજાવતા કહ્યું કે કટોકટીના સમયમાં રાજ્ય પ્રશાસનની નિષ્ફળતા કોઈ અનોખી વાત નથી. કોર્ટે કોરોના રોગચાળાનું ઉદાહરણ આપ્યું કે શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ સરકારો નિષ્ફળ જતી દેખાઈ રહી છે. કોર્ટે પૂછ્યું કે, શું આને ગુનાહિત કાવતરું કહી શકાય?

મેજિસ્ટ્રેટના આદેશને માન્ય રાખ્યો
ખંડપીઠે કેસ બંધ કરવા માટે 2012 માં સબમિટ કરેલી SITના અહેવાલ સામેની અરજીને ફગાવી દેતા વિશેષ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશને માન્ય રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલતે ગુજરાત હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો અને જાફરીની અરજી મેન્ટેનેબલ ન હોવાનું જણાવ્યું હતું. ઝાકિયાએ 2002ના ગુજરાત રમખાણોમાં મોટું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો હતો.

Advertisement

28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા 68 લોકોમાં કોંગ્રેસના નેતા અને સાંસદ એહસાન જાફરીનો પણ સમાવેશ થાય છે. એક દિવસ પહેલા જ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. આ ઘટનાઓ બાદ જ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ઝાકિયા જાફરીએ આ કેસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારી હતી. ઝાકિયાએ હાઇકોર્ટના 5 ઓક્ટોબર, 2017ના આદેશને પડકાર્યો હતો, જેમાં SITના રિપોર્ટ સામેની તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 9 ડિસેમ્બરે અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

Advertisement

Share0
પાછલી પોસ્ટ
પુષ્પા સ્ટાઈલમાં જોવા મળ્યા નવનીત રાણા, રાજ ઠાકરેની MNSએ પણ ઉદ્ધવ ઠાકરે પર કર્યો કટાક્ષ
આગળની પોસ્ટ
Android ફોન પર આવતી જાહેરાતોને કાયમ માટે કરો બ્લોક

Related posts

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220

છૂટાછેડા પછી પણ પોતાની પત્નીઓને દર અઠવાડિયે મળવા જાય છે આમિર ખાન, કારણ જાણીને ચકરાઈ જશે મગજ

vidhata gothi03/08/2022
03/08/20220

લગ્નના 3 મહિનામાં જ આલિયા ભટ્ટને થઈ ગઈ રણબીર કપૂર સાથે સમસ્યા, બધાની સામે કરવા લાગી ફરિયાદ

vidhata gothi02/08/2022
02/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022
07/08/20220

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022
07/08/202207/08/20220

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022
07/08/20220

સુરેન્દ્રનગર : લખતરના ગામડાઓમાંથી પીજીવીસીલીએલ વિજિલન્સ વિભાગ દ્વારા વીજચોરી પકડી પાડી

paras joshi07/08/2022
07/08/20220

CWG 2022: ભારતને મળ્યો 10મો ગોલ્ડ મેડલ, રવિ દહિયાએ કુસ્તીમાં જીત્યો ગોલ્ડ

paras joshi06/08/2022
06/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો