जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • કરંટ અફેર્સ
  • હેલ્પલાઈન નંબર 112: રાજ્યના આ જિલ્લાઓમાં ઈમરજન્સી સેવા માટે હવે એક જ નંબર
કરંટ અફેર્સ પોલીટીક્સ

હેલ્પલાઈન નંબર 112: રાજ્યના આ જિલ્લાઓમાં ઈમરજન્સી સેવા માટે હવે એક જ નંબર

08/01/2020
Share0

ગાંધીનગર: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લઈને દેશભરમાં તમામ ઈમર્જન્સી સેવાઓ માટે એક જ નંબર ડાયલ કરવાની સિસ્ટમ અમલી બનાવી છે. આ નિર્ણય પ્રમાણે હવે કોઈ પણ ઈમર્જન્સી સેવા માટે દેશભરમાં એક જ નંબર 112 ડાલ કરવાનો રહેશે. આ યોજનાનો અમલ કરવામાં ગુજરાત મોખરે છે અને મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજના અંતર્ગત હેલ્પલાઈન 112નો પ્રારંભ કરાવ્યો હતો.

આ યોજના પ્રમાણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની કોઇપણ ઇમરજન્સી માટે હવે એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. આ જાહેરાત કરતાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં આ હેલ્પલાઈન 112નો પ્રારંભ કરાયો છે. 

આ તમામ જિલ્લાઓમાં જીવીકે ઇએમઆરઆઇના હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને 112 નંબર કાર્યરત કરાયો છે અને મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હેલ્પલાઇનનો પ્રારંભ કરાવ્યો છે. હવે તબક્કાવાર રીતે સમગ્ર રાજ્યમાં તેનો અમલ થશે અને હેલ્પલાઈન 112 કાર્યરત થશે.

Advertisement

હાલમાં રાજ્યમાં ઈમર્જન્સી સેવાઓ માટે અલગ અલગ હેલ્પલાઈન કાર્યરત છે. અત્યારે એમ્બ્યુલન્સ સેવા માટે 108 નંબર ડાયલ કરવો પડે છે જ્યારે પોલીસને ફરિયાદ કરવા કે માહિતી આપવા માટે 100 નંબર ડાયલ કરવો પડે છે. આગ લાગી હોય કે બીજી કટોકટી હોય ત્યારે ફાયર બ્રિગેડને બોલાવવા માટે 101 નંબર ડાયલ કરવો પડે છે. એ જ રીતે અભયમ હેલ્પલાઈનનો નંબર 181, ડિઝાસ્ટર કંટ્રોલના હેલ્પલાઈન નંબર 1070 અને 1077 છે.  

એનિમલ હેલ્પલાઇનનો નંબર 1962 છે.

અત્યારે લોકોને નવી હેલ્પલાઈન 112 વિશે જાણ નથી તેથી લોકોમાં 112 હેલ્પલાઇન અંગે જાગૃતિ આવે તે દરમિયાન જે-તે સેવાના હાલના નંબર ઉપર આવતા ફોન કોલ્સ 12 મહિના સુધી આપોઆપ નવી હેલ્પલાઇન 112 ઉપર ટ્રાન્સફર થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. એક વરસ સુધી આ રીતે હેલ્પલાઈન 112 પર નંબર આવશે ને પછી આ સેવાઓના નંબર ક્રમશઃ દૂર કરાશે.

Advertisement
Advertisement

Share0
પાછલી પોસ્ટ
કોંગ્રેસ વર્કિંગ કમિટીની 26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં બેઠક
આગળની પોસ્ટ
પુલવામા હુમલા પર પાકિસ્તાની પીએમ ઇમરાનનું મોટું નિવેદન, યુદ્ધની આડકતરી ધમકી આપી

Related posts

ખેડૂતોની મદદ માટે વિશેષ ઝૂંબેશના શ્રીગણેશ, PM મોદીએ 100 કિસાન ડ્રોનનું કર્યું ઉદ્ધાટન; કહ્યું- કૃષિ ક્ષેત્રનો નવો અધ્યાય શરૂ

malay kotecha19/02/2022

વિજય સુવાળાએ ‘ઝાડું’ છોડી ‘કમળ’ ધારણ કર્યું, કહ્યું- હું મારા ઘરે પરત ફર્યો છું

ravi chaudhari17/01/2022

Assembly Election 2022: અત્યારસુધી આટલા મંત્રીઓ અને ધારાસભ્યો ભાજપ છોડી ચૂક્યા, અહીં જાણો સંપૂર્ણ યાદી

ravi chaudhari13/01/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

Raju Srivastava Health Update: રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ડોક્ટરોએ શું કહ્યું…

malay kotecha13/08/2022
13/08/20220

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક, દુનિયાભરના ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના; PM મોદીએ મદદની ખાતરી આપી

malay kotecha12/08/2022
12/08/20220

વર્કઆઉટ દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

malay kotecha10/08/2022
10/08/20220

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં, રૂા.૪ કરોડનું ૨૦ મિલીયન યુનિટનું દૈનિક વીજ ઉત્પાદન શરૂ

paras joshi14/08/2022
14/08/20220

નર્મદા : કરજણ ડેમને પણ તિરંગાના ત્રણ રંગોની લાઇટિંગથી સજાવાયો, જુઓ અદભૂત નજારો

paras joshi14/08/2022
14/08/20220

છોટાઉદેપુર : બોડેલીના ચલામલી ગામે તિરંગા યાત્રા યોજાઈ

paras joshi14/08/2022
14/08/20220

નર્મદા : ડેડીયાપાડા ખાતે હીરાના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા, રૂ.71 લાખના હિરાની ચોરી કરી ફરાર

paras joshi13/08/202214/08/2022
13/08/202214/08/20220

બનાસકાંઠા : દાંતીવાડાના પાંથાવાડામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિરંગા યાત્રા યોજાઈ

paras joshi13/08/2022
13/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો