મધ્ય પ્રદેશમાં વંદે માતરમ્ ગીતને લઈ રાજકારણ ગરમાયુ છે. ભાજપ તરફથી સતત થઈ રહેલા હમલા અને દબાણ વચ્ચે પ્રદેશના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથ પોતાના વલણથી પલટવા માટે મજબૂર થઈ ગયા.
તેઓએ કહ્યું છે કે હવે પોલીસ બેન્ડ સાથે વંદેમાતરમનું ગાન થશે. જણાવી દઈએ કે અત્યાર સુધી વંદે માતરમની ચાલી આવી રહેલી પરમ્પરા અનુસાર, આ સમુહિક ગાન મંત્રાલય પરિસરમાં મંત્રીની હાજરી અથવા મુખ્ય સચિવની ઉપસ્થિતિમાં થતુ આવ્યુ છે.
આ વચ્ચે, 1 જાન્યુઆરીએ ભોપાલમાં મંત્રાલયની સામે ઉદ્યાનમાં સામુહિક વંદે માતરમ ન ગવાયા બાદ કમલનાથ સરકાર ઘેરાઈ હતી. જો કે, હવે કમલનાથે યૂ-ટર્ન લીધો છે.
તેઓએ કહ્યું, 'ભોપાલમાં હવે આકર્ષક સ્વરૂપમાં પોલીસ બેન્ડ અને સામાન્ય લોકોની સહભાગિતાની સાથે વંદેમાતરમનું ગાન થશે. દર મહિનાના પહેલા કાર્યદિવસ પર સવારે 10.45 વાગ્યે પોલીસ બેન્ડ રાષ્ટ્રભવન જાગૃત કરનારા ધૂન વગાડતા-વગાડતા શૌર્ય સ્મારકથી વલ્લભ ભવન સુધી માર્ચ કરશે.'
શિવરાજનું એલાન- હું ગાઈશ, પછી જુક્યા કમલનાથ
વર્ષના પહેલા દિવસે વંદે માતરમનું ગાન નહીં થયા બાદ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા શિવરાજ સિંહ ચૌહાણે આ મામલો હાથો-હાથ ઝડપી લીધો અને કોંગ્રેસ પર હમલા શરૂ કર્યા હતા.
તેઓએ પુછ્યુ કે આખરે કોના કહેવા પર વંદે માતરમ ગીતની પરમ્પરાને તોડવામાં આવી. શિવરાજે કહ્યું, 'જો કોંગ્રેસને રાષ્ટ્રગીતના શબ્દ નથી આવડતા કે પછી રાષ્ટ્રગીતને ગાવામાં શરમ આવે છે, તો મને જણાવી દે. દર મહિનાની પહેલી તારીખે વલ્લભભવનના પ્રાંગણમાં જનતાની સાથે વંદે માતરમ હું ગાઈશ.'