સૂરતઃ અહીંના એક વિદ્યાર્થી મેહુલ ચોક્સી નરેન્દ્ર મોદી પર પીએચડી કરી રહ્યા છે. તેઓએ એમના પર થીસિસ જમા પણ કરી દીધા છે. તેના માટે મેહુલે સરકારી ઓફીસરો-ખેડૂતો અને વિદ્યાર્થી સહિત 450 લોકો સાથે વાત કરી. મેહુલ એટલા માટે ચર્ચામાં છે કેમકે તેમના નામનો જ એક ભાગેડુ વેપારી એંટીગુઆમાં રહી રહ્યો છે અને સરકાર તેના પ્રત્યર્પણના પ્રયત્નોમાં લાગેલી છે.
રાજનીતિ વિજ્ઞાનમાં પોસ્ટગ્રેજ્યુએટ છે મેહુલ
મેહુલે વીર નરમદ સાઉથ ગુજરાત યૂનિવર્સિટીમાં પોતાના થીસિસ જમા કરાવ્યા છે. તેમની શોધનું નામ લીડરશિપ અંડર ગવર્નમેન્ટ- કેસ સ્ટડી ઑફ નરેન્દ્ર મોદી છે. મેહુલ રાજનીતિ વિજ્ઞાનમાં પોસ્ટગ્રેજ્યુએટ છે.
મેહુલે 450 લોકોને મોદી વિશે જાણકારી પ્રાપ્ત કરી. તેના જણાવ્યા પ્રમાણે- મેં 32 પ્રશ્ન તૈયાર કર્યા હતા. 450માંથી 25% લોકોએ મોદીના ભાષણો પર ભરોસો વ્યક્ત કર્યો, જ્યારે 48% લોકોએ મોદીની પૉલિટિકલ માર્કેટિંગને સર્વશ્રેષ્ઠ જણાવી.
ચોક્સી વકીલ પણ છે. તેઓએ વીર નરમદ યૂનિવર્સિટીના પ્રો. નીલેશ જોશીના માર્ગદર્શનમાં પીએચડી કર્યું છે. મેહુલે પીએચડીની શરૂઆત ત્યારે કરી હતી જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેઓએ લોકોને મોદીના મુખ્યમંત્રીના કાર્યકાળના પણ સવાલ પૂછ્યા હતા. તેને લઈ 51% લોકોએ સકારાત્મક અને 34.25% લોકોને નકારાત્મક જવાબ આપ્યા. 46.75% લોકોએ કહ્યું કે લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે એક નેતાને લોકોના ફાયદા સાથે જોડાયેલા નિર્ણયો લેવા જોઈએ.
81%એ કહ્યું- સકારાત્મક વિચાર વાળા હોય પ્રધાનમંત્રી
ચોક્સીના જણાવ્યા પ્રમાણે- 81% લોકોએ કહ્યું કે દેશનો પ્રધાનમંત્રી હોવા માટે જરૂરી છે કે તે સકારાત્મક વિચાર વાળો હોય. 31% લોકોએ પ્રામાણિકતા તો 34%એ પારદર્શિતાને મહત્વ આપ્યુ.
ડૉ. નીલેશ જોશીના જણાવ્યા પ્રમાણે- પીએચડીનો વિષય ઘણો ઈન્ટરેસ્ટિંગ હતો. જાણકારીઓ એકઠી કરતી વખતે પડકારો પણ આવ્યા. કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ આટલા ઉંચા પદ પર હોય છે તો નિષ્પક્ષ થઈને વાત કહેવી મુશ્કેલ હોય છે.