ગુજરાતના પાટીદાર આંદોલન અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણી નહીં લડી શકે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે મહેસાણા દંગા મામલે તેને મળેલી સજા પર રોક લગાવવા સંબંધી અરજી પર સુનાવણી કરવાની મનાઈ ફરમાવી દીધી છે. બીજા ચરણના મતદાન માટે નોમિનેશન દાખલ કરવાની છેલ્લી તારીખ ચાર એપ્રિલ છે. એવામાં હવે હાર્દિકની ચૂંટણી લડવી અસંભવ છે.
આ પહેલા 29 માર્ચે ગુજરાત હાઈકોર્ટે 2015ના મહેસાણા દંગા મામલે હાર્દિકને મળેલી બે વર્ષની સજા પર રોક લગાવવાની મનાઈ ફરમાવી દીધી હતી. સજા મળવાના કારણે તે જનપ્રતિનિધિ 1951ના જોગવાઈઓ અંતર્ગત આવી ગયા છે. જે અંતર્ગત બે વર્ષ કે વધારે વર્ષોની જેલની સજા કાપી રહેલો વ્યક્તિ દોષસિદ્ધિ પર રોક લાગવા સુધી ચૂંટણી નહીં લડી શકે.
પટેલની પાસે ચૂંટણી લડવા માટે છેલ્લા વિકલ્પ તરીકે સુપ્રીમ કોર્ટના દ્વાર જ બચ્યા હતા. અહીંથી જો તેને રાહત મળી જાત તો તે જામનગરથી ચૂંટણી લડી શકત. જેની તે છેલ્લા ઘણા સમયથી તૈયારી પણ કરી રહ્યો હતો. ગુરુવારે કોર્ટે તેની અરજી પર સુનાવણી કરવાની મનાઈ ફરમાવી દીધી છે.