કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે એક વાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ. રાહુલ ગાંધીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર મામલે મારી સાથે ચર્ચા કરતા ડરે છે. રાહુલે ટ્વીટ કર્યુ, 'પ્રિય પ્રધાનમંત્રી, શું તમે ભ્રષ્ટાચાર પર મારી સાથે ચર્ચા કરવાથી ડરો છો?'
રાહુલ ગાંધીએ આગળ લખ્યુ કે, જો તમે ભ્રષ્ટાચાર પર મારી સાથે ચર્ચા કરવાથી ડરો છો તો હું તેને વધુ સરળ બનાવી શકુ છું. રાહુલ ગાંધીએ કહ્યું કે તેને ઓપન બુકની પરીક્ષા બનાવી દઈએ, જેથી તમે તૈયારી કરી શકો. તેની સાથે જ રાહુલ ગાંધીએ ત્રણ ચીજો લખી. તેમાં તેઓએ રાફેલને અનિલ અબાણી અને નોટબંધીને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે જોડી. તદ્દપરાંત નીરવ મોદીનો ઉલ્લેખ પણ કર્યો.
Dear PM,
Scared of debating me on corruption? I can make it easier for you.
Let’s go open book, so you can prepare:
Advertisement1. RAFALE+Anil Ambani
2. Nirav Modi
3. Amit Shah+Demonetisation #Scared2Debate— Rahul Gandhi (@RahulGandhi) April 9, 2019
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈ સખત વાકપ્રહાર કરતા રહ્યા છે. 'ચોકીદાર ચોર હે' નારા મારફતે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘેરવાની તક પણ નથી છોડતા. આ પહેલા પણ તે પ્રધાનમંત્રીને ચર્ચા માટે પડકારી ચુક્યા છે.