जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • Uncategorized
  • માલ્યા મુદ્દે કોંગ્રેસ-ભાજપની આક્ષેપબાજીમાં સત્ય શું ?

Uncategorized

માલ્યા મુદ્દે કોંગ્રેસ-ભાજપની આક્ષેપબાજીમાં સત્ય શું ?

08/01/2020
Share0

જન મન ઈન્ડિયા- સંવાદદાતા  

દેશની 17 મોટી મોટી બેંકોને 9100 કરોડ રૂપિયામાં નવડાવીને રફુચક્કર થઈ ગયેલા વિજય માલ્યા પાછા મેદાનમાં આવ્યા છે.  માલ્યાએ ધડાકો કર્યો છે કે, પોતે  લંડન જતાં પહેલાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીને મળ્યા હતા. માલ્યાના દાવા પ્રમાણે તો તેમણે જેટલી સાથે બેંકોનાં નાણાં પાછાં આપવા મામલે ચર્ચા કરેલી ને તેમની સામે સેટલમેન્ટની દરખાસ્ત પણ મૂકેલી. 

માલ્યાના આ ધડાકાએ રાજકીય ગરમીનો માહોલ પેદા કરી દીધો છે,  ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે.  માલ્યાએ આ ધડાકો કર્યો તેની મિનિટોમાં જ અરૂણ જેટલીએ સોશિયલ મીડિયા પર ખુલાસો કરવો પડ્યો કે, માલ્યાનો દાવો હકીકતની રીતે ખોટો છે કેમ કે 2014થી અત્યાર સુધી મે સત્તાવાર રીતે કદી તેને મળવાનો સમય નથી આપ્યો કે મળ્યો નથી. હું એક વખત સંસદમાંથી નીકળીને મારા રૂમ તરફ જતો હતો ત્યારે જ મને મળી ગયેલા ને ચાલતાં ચાલતાં સેટલમેન્ટ વિશે વાત કરી હતી પણ મેં તેને વચ્ચે જ રોકીને કહ્યું કે, મારી સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી અને આ પ્રસ્તાવ તે બેન્ક સામે રજૂ કરે.  

Advertisement

કોંગ્રેસને આ વાત હજમ થઈ નથી. જેટલીએ જ માલ્યાને ભગાડ્યો છે એ વાત કોંગ્રેસે પકડી રાખી છે ને જેટલીના રાજીનામાનું કોરસ શરૂ કરી દીધું છે. સામે ભાજપે પણ માલ્યાને કોંગ્રેસે લોન આપેલી તેથી એ દોષિત છે તેવો સામો વાર કર્યો છે.  

માલ્યાના મામલે જે શરૂ થયું એ ગંદુ રાજકારણ છે કેમ કે માલ્યાના મામલે ભાજપ-કોંગ્રેસ બંને ખરડાયેલાં છે. કોંગ્રેસ ભાજપ પર દોષારોપણ કરે છે પણ એ પોતે દૂધે ધોયેલી નથી ને વિજય માલ્યા છૂ થઈ ગયા એમાં કોંગ્રેસનું યોગદાન છે જ. માલ્યાની કબાડેબાજીની વાત આજકાલની નથી.  છેક 2012થી માલ્યાની લબાડીની વાતો ગાજે છે. ભાજપની સરકાર તો હમણાં દોઢ-પોણા બે વર્ષથી આવી પણ એ વખતે કેન્દ્રમાં કોંગ્રેસની જ સરકાર હતી છતાં તેણે શું કર્યું ? કંઈ જ નહીં. ગુલામ નબી આઝાદ બેંકોએ મોડો કેસ કર્યો તેની પારાયણ માંડીને બેસી ગયા છે પણ બેંકો તો ચાર વર્ષથી કશું કર્યા વિના હાથ પર હાથ મૂકીને બેસી રહી હતી. એ વખતે કોંગ્રેસ સરકારે કેમ બેંકોને ફરમાન ના કર્યું કે માલ્યા ફરતે ગાળિયો ફિટ કરો ? માલ્યા તો એ વખતે પણ લોન ચૂકવવામાં અખાડા કરતા જ હતા તો પછી કોંગ્રેસીની સરકાર કેમ ચૂપચાપ તમાશો જોયા કરતી હતી ? ભાજપની સરકાર આવી એ પછી બધું વાજતુંગાજતું સામે આવ્યું એ સાચું પણ તેની શરૂઆત તો કોંગ્રેસના શાસનમાં જ થઈ હતી. કોંગ્રેસે ધાર્યું હોત તો એ વખતે જ તે માલ્યાને અંદર કરી શકી હોત પણ તેણે કેમ કશું ના કર્યું ?  

બીજું એ કે માલ્યા બધું સંકેલીને ઉડનછૂ થઈ ગયા એ રાતોરાત નથી થયું. માલ્યાએ કિંગફિશર એરલાઈન્સમાં લાખના બાર હજાર કર્યા ને બીજી છીંટબાજીઓમાં રોકાણકારોના રૂપિયાનો ધુમાડો કર્યો પછી એ સમજી ગયેલા કે આપણો ખેલ બહુ નહીં ચાલે ને આજે નહીં તો કાલે આપણું પાપ છાપરે ચડીને પોકારવાનું જ છે. એટલે તેમણે બહુ ચાલાકીપૂર્વક સંકેલો કરવા જ માંડેલો. માલ્યા અત્યારે યુનાઈટેડ બ્રુવરીઝના ચેરમેન છે પણ યુનાઈટેડ બ્રુવરીઝમાં સૌથી વધારે શેર ધરાવતી યુનાઈટેડ સ્પિરિટ કંપનીમાં મોટો હિસ્સો બ્રિટનની કંપની ડિયાગિયોનો છે. જોની વોકર અને બેઈલીઝ જેવી બ્રાન્ડ ધરાવતી ડિયાગિયોને પોતાના શેર વેચીને રોકડી કરવાનો ખેલ માલ્યાએ મે 2010માં શરૂ કરી જ દીધેલો. તેમણે ધીરે ધીરે ડિયાગિયોને 5235 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે ને તેના કારણે અત્યારે યુનાઈટેડ બ્રુવરીઝમાં ડિયાગિયોનો હિસ્સો 36 ટકાની આસપાસ છે.

Advertisement

માલ્યા એ રીતે યુનાઈટેડ સ્પિરિટમાં પોતાના શેર વેચીને બહુ પહેલાં નવરા થઈ ગયેલા. 2012 સુધીમાં તો યુનાઈટેડ સ્પિરિટ પરથી તેમનો કંટ્રોલ પણ જતો રહેલો ને એ શોભાના ગાંઠિયા જેવા ચેરમેન બનીને રહી ગયેલા. માલ્યાએ આ બધા શેર વેચી વેચીને જે રૂપિયા ઉભા કર્યા એ બધા તેમણે વિદેશભેગા કર્યા છે.  માલ્યાએ આ બધું રાતોરાત કર્યું નથી ને તેની શરૂઆત કોંગ્રેસના શાસન વખતે જ થયેલી. આ બધું કરવા માટે સત્તાવાળાની મંજૂરી જોઈએ જ. સેબીથી માંડીને નાણાં મંત્રાલય સુધી બધેમાલ્યાએ શેર વેચ્યા તેની ફાઈલ ગઈ હશે. એ મંત્રાલયોએ મંજૂરી આપી હશે પછી જ એ સોદા થયા હશે. હવે એ વખતે તેમને કોંગ્રેસે રોક્યા નહીં ને હવે કોંગ્રેસ ભાજપ પર દોષનો ટોપલો ઢોળે ત્યારે કૂડું કથરોટને હસતું હોય એવું લાગે.

ભાજપની સરકારનો વાંક નથી એવું નથી. કેન્દ્રમાં પોણા બે વર્ષથી ભાજપવાળા બેઠા છે ને તેમણે ધાર્યું હોત તો માલ્યાને પકડીને અંદર કરી જ શક્યા હોત. કોંગ્રેસે કંઈ ના કર્યું તો કંઈ નહીં પણ ભાજપ માલ્યાને રોકી શક્યો હોત ને એવી ચાકી ફિટ કરી શક્યો હોત કે માલ્યાએ જે પણ માલ ખાધો છે તે બધો ઓકી નાંખવો પડે. ભાજપે ગમે તે કારણોસર એ ના કર્યું ને માલ્યા સરળતાથી ભાગી ગયા. માલ્યા ભાગી ગયા પછી મોદી સરકારના નાણાં પ્રધાન અરૂણ જેટલીએ ફિશિયારી મારેલી કે માલ્યાને પકડીને પાછા લાવીશું ને તેમની પાસેથી પાઈએ પાઈ ઓકાવી લઈશું. એ વાતને પણ બે વર્ષ કરતાં વધારે થઈ ગયું ને છતાં કશું થયું નથી.

માલ્યા ભાગી ગયા તેમાં સીબીઆઈનું પણ યોગદાન છે. માલ્યા સામેની લૂકઆઉટ નોટિસમાં પહેલાં માલ્યા દેશ છોડીને ભાગી જાય તો તેમને રોકવાની વાત હતી. પછી તેમાં ફેરફાર થઈ ગયો ને માલ્યા ભાગતા હોય તો ખાલી જાણ કરવાનું ફરમાન આવી ગયું. સીબીઆઈએ આ ફેરફાર કોને ઈશારે કર્યો એ સવાલનો જવાબ કોઈની પાસે નથી. સીબીઆઈ ચિઠ્ઠીની ચાકર છે ને જેની સત્તા હોય તેની કુરનિશ બજાવે છે. અત્યારે ભાજપની સરકાર છે તેથી તેના ઈશારે આ ફેરફાર કરાયો હોય એ શક્ય છે. એવું ના થયું હોય તો પણ ભાજપ સત્તામાં છે તેથી તેની નૈતિક જવાબદારી છે જ. 

Advertisement

ભાજપ ને કોંગ્રેસ અત્યારે જે રમે છે એ લોકોને બેવકૂફ બનાવવાની રમત છે. આ રમતમાં જે લોકોને બેવકૂફ વધારે બનાવી શકશે એ જીતશે. 

Advertisement

Share0
પાછલી પોસ્ટ
રૂપિયાનું સતત ધોવાણઃ મોદીને ઉંટવૈદો નહીં રાજન જેવા માણસની જરૂર  
આગળની પોસ્ટ
સાબરકાંઠા: યુવતીની લાશને વિત્યા 20 દિવસ, અંતિમ સંસ્કાર સાથે ન્યાય ક્યારે ?

Related posts

CWG 2022: ભારતને મળ્યો 10મો ગોલ્ડ મેડલ, રવિ દહિયાએ કુસ્તીમાં જીત્યો ગોલ્ડ

paras joshi06/08/2022

રાજકોટ : ધોરાજીના જમનાવડ ગામે પશુઓમાં લમ્પી વાયરસ ફેલાતો રોકવા માટે વેક્સિન અપાઈ

paras joshi02/08/2022

બોડેલીઃ ‘અગ્નિવીર રજીસ્ટ્રેશન જાગૃતિ અભિયાન’ અંગેનો કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓને કરાયા માહિતગાર

malay kotecha29/07/202229/07/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક, દુનિયાભરના ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના; PM મોદીએ મદદની ખાતરી આપી

malay kotecha12/08/2022
12/08/20220

વર્કઆઉટ દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

malay kotecha10/08/2022
10/08/20220

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

વિજાપુરની રામનગર સોસાયટીમાં ચાલતા જુગારધામ પર દરોડો, હજારોના મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ઝબ્બે

malay kotecha13/08/2022
13/08/20220

15મી ઓગસ્ટે પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં કરાશે ધ્વજવંદન, સરદાર પટેલની વિરાટ પ્રતિમાની શાખે ઉજવાશે ‘આઝાદીનું અમૃત પર્વ’

malay kotecha13/08/202213/08/2022
13/08/202213/08/20220

રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે 73માં વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

malay kotecha13/08/2022
13/08/20220

Corona cases Today: કોરોના સંક્રમણની રફ્તારમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસનો આંકડો જોઈને તમે ચોંકી જશો

kaushal pancholi13/08/2022
13/08/20220

Azadi Ka Amrit Mahotsav: શું છે હર ઘર તિરંગા અભિયાન, કઈ તારીખ છે ખાસ, સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું, જાણો બધું...

malay kotecha13/08/2022
13/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો