ઉત્તર પ્રદેશમાં, ભાજપે પૂર્વાંચાલની આઠ લોકસભા મતવિસ્તારમાં ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આદિત્યનાથે પોતાના ગૃહ જનપદ ગોરખપુર લોકસભા મતવિસ્તાર પર ફરી એક વાર બ્રાહ્મણ દાવ રમ્યો છે. બીજેપીએ ભોજપુરી ફિલ્મ સ્ટાર રવિ કિશનને ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. માનવામાં આવે છે કે ગોરખપુરના હાલના સાંસદ પ્રવીણ નિષાદને પાર્ટી પોતાના ઉમેદવાર બનાવશે. પરંતુ પાર્ટીના સંતકબીર નગર સીટથી શરદ ત્રિપાઠીની ટિકિટ કાપવામાં આવી છે. હાલમાંજ પ્રવીણ નિષાદ સપા છોડીને ભાજપમાં જોડાયા હતા.
ભાજપે આઠ ઉમેદવારોની જાહેરાત કરી છે. પ્રતાપગઢના સંગમ લાલ ગુપ્તા, આંબેડકર નગરથી મુક્ત બિહાર, સંતકબીર નગરના પ્રવીણ નિશાદ, ગોરખપુરથી રવિ કિશન, દેવરિયાના રમાપતિ રામ ત્રિપાઠી, જોનપુરના કેપી સિંહ અને ભદોહીના રમેશ બિંદનુ નામ છે.
રસપ્રદ વાત એ છે કે, ભાજપે સંત કબીર નગર બેઠકથી વર્તમાન સાંસદ શરદ ત્રિપાઠીની ટિકિટ કાપી છે. જો કે, પક્ષે તેમના પિતા રમાપતિ રામ ત્રિપાઠીને દેવરિયાને મતદાર ક્ષેત્રના ઉમેદવાર બનાવ્યા છે. દેવરિયાના વર્તમાન સાંસદ, કલરાજ મિશ્રાએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. આવી પરિસ્થિતિમાં, કલરાજ મિશ્રાને બદલે, પક્ષે રમાપતિ રામ ત્રિપાઠી પર વિશ્વાસ મૂક્યો છે.
આ ઉપરાંત, આંબેડકર નગરની બેઠકથી વર્તમાન સાંસદ હરિ ઓમ પાંડેની ટિકિટ કાપીને મુક્ત બિહારીને ટિકિટ આપી છે. ભદોહી મતદાર ક્ષેત્રના હાલના સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તને પાર્ટી બાલીયામાંથી પહેલા ટિકિટ આપી ચૂકી છે. એવામાં અહીયા રમેશ બિન્દને ટિકિટ આપવામાં આવી છે.