જયપુરઃ લોકસભા ચૂંટણી પહેલા તમામ મોટા નેતાઓએ ચૂંટણી સભાઓ શરૂ કરી દીધી છે. ત્યારે પ્રચારમાં પીએમ મોદી તમામ નેતાઓથી આગળ છે અને તાબડતોબ ચૂંટણી રેલીયો કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટના વિધાનસભા ક્ષેત્રથી વિજય સંકલ્પ રેલી કરીને ભાજપ માટે રાજ્યમાં લોકસભા ચૂંટણીના શ્રીગણેશ કર્યો અને પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી.
પીએમ મોદીએ કહ્યું કે, ટોક અને સવાઇમાધોપુરની ધરતીથી પુલવામાના વીર જવાનોને નમન કરૂ છું. હું આ વીર સપૂતોને જન્મ આપનારી માતાઓને ફરીથી પોતાની સંવેદના વ્યક્ત કરૂ છું. તમે સૌને રાષ્ટ્ર રક્ષા માટે બહુ મોટો ત્યાગ કર્યો છે. તમારા કારણે જ ભારત આજે માથું ઉંચુ કરીને વિશ્વ પટલ પર ઉભુ છે.
સંપૂર્ણ દેશ તમારી સાથે છે જ આજે સમગ્ર વિશ્વ પણ તમારી સાથે છે. મને વીર જવાનો પર ગર્વ છે જેમણે હુમલાના મોટા ગુનેગારોને હુમલાના 100 કલાક બાદ જ તેને ત્યાં પહોંચાડી દીધા જ્યાં તેમની જગ્યા હતી. પરંતુ તમે વિશ્વાસ રાખો, આ વખતે સૌનો હિસાબ થશે અને હિસાબ પૂરો થશે.