બાલાકોટ હવાઈ હમલા બાદ ભારત અને પાકિસ્તાનની સરહદ પર વધેલા તણાવ વચ્ચે સરકારે લગભગ 2700 કરોડ રૂપિયાના રક્ષા ઉપકરણની ખરીદીને મંજૂરી આપી છે. એક ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બુધવારે રક્ષા અધિગ્રહણ પરિષદ (ડીએસી)ની બેઠકમાં લગભગ 2700 કરોડ રૂપિયાના રક્ષા ઉપકરણ ખરીદીને મંજૂરી આપી દીધી છે.
ભારતીય નૌસેના માટે ત્રણ કૈડેટ પ્રશિક્ષણ જહાજોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી છે. જેનો ઉપયોગ પ્રશિક્ષુ મહિલા અધિકારીઓ સહિત અધિકારી કૈડેટને સમુદ્રી પ્રશિક્ષણ પ્રદાન કરવા માટે કરવામાં આવશે.
આ જહાજ હોસ્પિટલના કાર્યોને પુરા કરવામાં સક્ષમ હશે. આ જહાજો મારફતે માનવીય સહાયતા અને આપદા રાહત પ્રદાન કરવા, ખોજ અને બચાવ(એસએઆર)મિશન અને ગૈર-લડાકુ બચાવ કાર્યો માટે કરવામાં આવશે.
Advertisement
Advertisement