जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • કરંટ અફેર્સ
  • છબીલ પટેલે ભાનુશાળીની હત્યા માટે 30 લાખમાં સોપારી આપ્યાની કબૂલાત
કરંટ અફેર્સ પોલીટીક્સ

છબીલ પટેલે ભાનુશાળીની હત્યા માટે 30 લાખમાં સોપારી આપ્યાની કબૂલાત

08/01/2020
Share0

અમદાવાદઃ કચ્છના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળી હત્યા કેસમાં સીઆઈડી ક્રાઈમની ટીમે ઝડપેલા બે શાર્પ શૂટરે તેમના ગુનાની કબૂલાત કરી છે. પોલીસે શશીકાંત ઉર્ફે દાદા કામબલે (રહે. યરવડા, પૂના) અને અશરફ ઉર્ફે અનવર (યરવડા, પૂના)ની ડાંગની એક હોટલમાંથી ધરપકડ કરી હતી. બંનેને આજે સોમવારે ભચાઉની કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડ મેળવવામાં આવશે કે જેથી છબીલ પટેલ સામે વધુ મજબૂત પુરાવા મેળવી શકાય.

પોલીસ તપાસમાં તેમણે કબૂલ્યું છે કે, ભાજપના નેતા અને આ કેસના મુખ્ય આરોપી છબીલ પટેલે જયંતિ ભાનુશાળીની હત્યા માટે રૂપિયા 30 લાખની સોપારી આપી હતી. આ પૈકી પાંચ લાખ રૂપિયા એડવાન્સમાં છબીલ પટેલે મુંબઈમાં એક મોલમાં ચૂકવી દીધા હતા. છબીલ પટેલે શાર્પ શૂટર્સને કહ્યું હતું કે, જયંતિ ભાનુશાળી મારા દુશ્મન છે અને મારા પર કેસો કરાવી રહ્યા છે તેથી તેમની હત્યા કરવાની છે તેમ કહી સોપારી આપી હતી. 

સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે,  ભાનુશાળીની હત્યા માટે બે મધ્યસ્થી દ્વારા બે મહિના પહેલા છબીલ પટેલ પૂનાના શાર્પશૂટર શશીકાંતને મુંબઈના મોલમાં મળ્યા હતા. મોલમાં છબીલ પટેલે જયંતિ ભાનુશાળીના ફોટો બતાવી હત્યા કરવા સોપારી આપી હતી અને પાંચ લાખ રૂપિયા એડવાન્સમાં આપ્યા હતા. બાદમાં શશીકાંત બસ મારફતે પૂનાથી અમદાવાદ આવ્યો હતો. છબીલ પટેલ તેને પોતાની કારમાં ભુજ લઈ ગયા  હતા.

Advertisement

ભુજમાં છબીલે શશીકાંતને ભાનુશાળીનું ઘર બતાવ્યું હતું પણ ગીચ વિસ્તાર હોવાથી શશીકાંતે હત્યા કરવાની ના પાડી હતી. બાદમાં જયંતિ ભાનુશાળી ટ્રેનમાં અમદાવાદ આવવાના છે એ વાતની ખબર પડતાં ટ્રેનમાં હત્યા કરવાનું નક્કી કર્યું હતું.  એ પછી શશીકાંતે ફરીથી પૂનાથી ભુજ આવી ભુજ રેલવે સ્ટેશનની રેકી કરી હતી. ટ્રેનમાં બેસી અને દરેક રેલવે સ્ટેશન અને એચ 1 કોચ અંગે માહિતી મેળવી હતી. દરેક સ્ટેશન પર કેટલી વાર ટ્રેન ઉભી રહે છે, કેટલા દરવાજા ખુલે છે તેની માહિતી મેળવી હતી. આ રીતે તમામ માહિતી મેળવીને છેવટે હત્યાને અંજામ આપ્યો હતો. 

Advertisement

Share0
પાછલી પોસ્ટ
કોંગ્રેસ વર્કિંગ કમિટીની 26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં બેઠક
આગળની પોસ્ટ
પુલવામા હુમલા પર પાકિસ્તાની પીએમ ઇમરાનનું મોટું નિવેદન, યુદ્ધની આડકતરી ધમકી આપી

Related posts

ખેડૂતોની મદદ માટે વિશેષ ઝૂંબેશના શ્રીગણેશ, PM મોદીએ 100 કિસાન ડ્રોનનું કર્યું ઉદ્ધાટન; કહ્યું- કૃષિ ક્ષેત્રનો નવો અધ્યાય શરૂ

malay kotecha19/02/2022

વિજય સુવાળાએ ‘ઝાડું’ છોડી ‘કમળ’ ધારણ કર્યું, કહ્યું- હું મારા ઘરે પરત ફર્યો છું

ravi chaudhari17/01/2022

Assembly Election 2022: અત્યારસુધી આટલા મંત્રીઓ અને ધારાસભ્યો ભાજપ છોડી ચૂક્યા, અહીં જાણો સંપૂર્ણ યાદી

ravi chaudhari13/01/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

વર્કઆઉટ દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

malay kotecha10/08/2022
10/08/20220

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને રાખડી બાંધી કરી ઉજવણી

paras joshi12/08/2022
12/08/20220

ફરી લોકડાઉન કરવું પડશે ? ઓમિક્રોનનું નવું સ્વરૂપ ઝડપથી ફેલાય છે

paras joshi11/08/202212/08/2022
11/08/202212/08/20220

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ; નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડાયું

paras joshi11/08/202212/08/2022
11/08/202212/08/20220

રક્ષાબંધનમાં બહેને કરી ભાઈની રક્ષા, કિડની ડોનેટ કરીને ભાઈને આપ્યું નવું જીવન

paras joshi11/08/202212/08/2022
11/08/202212/08/20220

જમ્મુ અને કાશ્મીર: ઉરી જેવા હુમલાનું કાવતરું નિષ્ફળ, અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર; 3 જવાન શહીદ

malay kotecha11/08/202211/08/2022
11/08/202211/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો