ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતા પાટીદાર નેતા હાર્દિક પટેલે સોમવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ગુજરાતની નીચલી અદાલતે 2015એ મહેસાણા દંગામાં દોષી કરાર આપતા બે વર્ષની સજા સંભળાવી હતી જેને ગુજરાત હાઈ કોર્ટે પણ બરકરાર રાખ્યો હતો.
ત્યાર બાદ તે ચૂંટણી લડવા માટે અયોગ્ય સાબિત થઈ ગયો હતો. હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવા માટે તેઓએ સર્વોચ્ચ ન્યાયાલયમાં ગુહાર લગાવી છે. હકીકતમાં, જન પ્રતિનિધિત્વ કાયદો અને સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા અંતર્ગત બે વર્ષ કે વધારે વર્ષોની જેલની સજા કાપી રહેલો વ્યક્તિ દોષસિદ્ધિ પર રોક લગાવવા સુધી ચૂંટણી નહીં લડી શકે.
હાર્દિકને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળતી તો તે લોકસભા ચૂંટણી નહીં લડી શકે. તે કોંગ્રેસ માટે એક ઝટકો હશે કેમ કે, તાજેતરમાં તે કોંગ્રેસમાં સામેલ થયા છે અને જામનગરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરાતમાં નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ ચાર એપ્રિલ છે.