દાદરાનગર હવેલીઃ આગામી લોકસભા ચૂંટણીને ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી લીધી હતી. જેનાં ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પ્રવાસે છે. સેલવાસ-નરોલી માર્ગ પર બનેલા નવા ભાજપ પ્રદેશ કાર્યાલયનું અમિત શાહના હસ્તે ઉદ્ધાટન કરાયું હતું.
અમિત શાહે આ પ્રસંગે લોકોને સંબોધન કર્યું હતું. સેલવાસમાં અમિત શાહે કોગ્રેસ પર શાબ્દિક હુમલો કરતા કહ્યું હતું કે, કોગ્રેસે ફક્ત ગોટાળા જ કર્યા છે. 2019માં ભાજપની સરકાર જ બનશે.
દાદરાનગર હવેલી પહોંચેલા અમિત શાહનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલયના ઉદ્ધાટન બાદ અમિત શાહે હવેલી ગ્રાઉન્ડ પર વિશાળ સભાને સંબોધન કર્યું હતું. લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, 'ચારેતરફ અમારા કાર્યકર્તાઓ ફેલાયા છે. તેઓ જ અમારા વિજયનો આધાર છે. તેમના દ્વારા કેન્દ્રમાં ફરીથી ભાજપની પાર્ટી બનાવવી છે.
કાર્યકર્તાઓએ હવે જનતાની વચ્ચે જનસંઘપ્રચાર કરવાનો છે. આપણે પાંચ વર્ષમાં જે કર્યું છે તેની જાણકારી લોકો સુધી પહોંચાડવાની છે. 2014ની સ્થિતિ પણ લોકોને જણાવવાની છે કે તે સમયે દેશમાં કેવી સ્થિતિ હતી. પાંચ વર્ષ પૂરા થવાને છે. પાંચ વર્ષમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનું કામ અમારી સરકારે કર્યું છે.'
નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઇને દાદરાનગર હવેલી પર ભાજપનો દબદબો યથાવત છે. મોહન ડેલકરનો ભાજપ તરફથી જીતનો સિલસિલો યથાવત હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નટુ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જેમણે કોગ્રેસના ઉમેદવાર મોહન ડેલકરને હરાવ્યા હતા. 1998થી અહીં ભાજપનો કબજો છે.
મોહન ડેલકર જે 1989માં અપક્ષ, 1991માં કોંગ્રેસ, 1996માં ભાજપ, ફરી મોહન ડેલકર 1999માં અપક્ષમાંથી જીત્યા, અને 2014માં મોહન ડેલકરને હાર મળી હતી. જો કે 2009માં નટુભાઇ પટેલ ભાજપમાંથી જીત્યા હતા. હવે આગામી લોકસભાની ચૂંટણીને લઇને અમિત શાહની આજની આ મુલાકાત તથા સભા રાજનૈતિક મહત્વ ધરાવે છે.