जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • કરંટ અફેર્સ
  • ઉંઝા ભાજપમાં ભડકો, નારણ લલ્લુ સમર્થકો સાથે બળવાના મૂડમાં
કરંટ અફેર્સ પોલીટીક્સ

ઉંઝા ભાજપમાં ભડકો, નારણ લલ્લુ સમર્થકો સાથે બળવાના મૂડમાં

08/01/2020
Share0

ઉંઝાઃ ભારતમાં સૌથી મોટું એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સનું માર્કેટ યાર્ડ એવી ઉંઝાની એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ માર્કેટિંગ કમિટી (એપીએમસી) પર કબજો કરવા માટે ભાજપમાં જ ચાલતા આંતરિક વિખવાદના કારણે ભૂતપૂર્વ ધારાસભ્ય નારણભાઈ લલ્લુભાઈ પટેલ અને તેમના સમર્થકો ભાજપ છોડવા વિચારી રહ્યા છે. નારણભાઈ લલ્લુભાઈ પટેલ અને તેમના સમર્થકોએ આ માટે ગુપ્ત બેઠકો શરૂ કરી છે. સોમવારે આ અંગે ધડાકો કરાય તેવી શક્યતા છે.

ઉંઝા એપીએમસી પર કબજો કરવા ચાલતું રાજકારણ ચરમસીમાએ છે, ત્યારે ભાજપ હાઈકમાન્ડે કોંગ્રેસ છોડીને આવેલાં આશાબેન પટેલની તરફેણ કરતાં નારણભાઈ લલ્લુભાઈ પટેલ અને તેમના સમર્થકો ભડક્યા છે. 
શનિવારે મહેસાણામાં મળેલી ભાજપની બેઠકમાં ભાજપના મહામંત્રી કે. સી. પટેલ સામે બળવો થયો હતા. મહેસાણા જિલ્લા શક્તિ કેન્દ્રમાં ભાજપના કાર્યકરોએ ‘કે. સી. પટેલ, હાય હાય’ અને  ‘વેવાઈવાદ બંધ કરો’ના નારા લગાવ્યા હતા. ભાજપના કાર્યકરો કેસરીયા ખેસ જમીન પર ફેંકીને બહાર નીકળી ગયા હતા.

ઊંઝાનાં ભૂતપૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરાવનારા કે. સી. પટેલના વેવાઈ દિનેશ પટેલને ઊંઝા એપીએમસીના ચેરમેન બનાવવાની સોદાબાજી કરાઈ હોવાના આક્ષેપો ભાજપના જ કાર્યકરો કરી રહ્યા છે. એપીએમસીમાં દિનેશ પટેલને ચેરમેન બનાવવા માટે ગોઠવણ કરાઈ હોવાનું અને તેના ભાગરૂપે નારણભાઈના સમર્થકોનાં નામ મતદાર યાદીમાંથી કમી કરાયાં હોવાનું બહાર આવતાં કે.સી. પટેલનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે.  

Advertisement

શનિવારે મહેસાણા અને ઊંઝાના કાર્યકરોએ કે. સી. પટેલનો જાહેરમાં વિરોધ કર્યો હતો. ‘વેવાઈ વાદ બંધ કરો’ અને ‘થેલા મૂકીને બહાર આવો’ એમ કહીને કહીને ઘણા કાર્યકરો બહાર આવી ગયા હતા. ઊંઝા બજાર સમિતિની ચૂંટણીના મતદાર યાદી જાહેર કરવામાં આવી તેમાં ખેડૂત, વેપારી અને ખરીદ-વેચાણ સંઘ એમ ત્રણેય વિભાગના મતદાર યાદીમાં સરકારે મોટા પ્રમાણમાં ગોલમાલ કરી હોવાના આક્ષેપો પણ કરાયા છે. 

આશા પટેલ અને દિનેશ પટેલને જીતાડવા માટે ભાજપ સરકારે 39 જૂની મંડળીઓમાંથી 21 મંડળીઓને મતદાન યાદીમાં દૂર કરી દીધી છે. આ મંડળીઓ પર ભાજપના કાર્યકરોનું પ્રભુત્વ છે. આ મંડળીઓને મતદાનથી દૂર કરીને નારણ પટેલ અને ગૌરાંગ પટેલને હરાવી શકાય અને આશા પટેલ-દિનેશ પટેલને જીતાડી શકાય તેવું ગણિત છે. 

Advertisement
Advertisement

Share0
પાછલી પોસ્ટ
કોંગ્રેસ વર્કિંગ કમિટીની 26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં બેઠક
આગળની પોસ્ટ
પુલવામા હુમલા પર પાકિસ્તાની પીએમ ઇમરાનનું મોટું નિવેદન, યુદ્ધની આડકતરી ધમકી આપી

Related posts

ખેડૂતોની મદદ માટે વિશેષ ઝૂંબેશના શ્રીગણેશ, PM મોદીએ 100 કિસાન ડ્રોનનું કર્યું ઉદ્ધાટન; કહ્યું- કૃષિ ક્ષેત્રનો નવો અધ્યાય શરૂ

malay kotecha19/02/2022

વિજય સુવાળાએ ‘ઝાડું’ છોડી ‘કમળ’ ધારણ કર્યું, કહ્યું- હું મારા ઘરે પરત ફર્યો છું

ravi chaudhari17/01/2022

Assembly Election 2022: અત્યારસુધી આટલા મંત્રીઓ અને ધારાસભ્યો ભાજપ છોડી ચૂક્યા, અહીં જાણો સંપૂર્ણ યાદી

ravi chaudhari13/01/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

Raju Srivastava Health Update: રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ડોક્ટરોએ શું કહ્યું…

malay kotecha13/08/2022
13/08/20220

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક, દુનિયાભરના ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના; PM મોદીએ મદદની ખાતરી આપી

malay kotecha12/08/2022
12/08/20220

વર્કઆઉટ દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

malay kotecha10/08/2022
10/08/20220

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં, રૂા.૪ કરોડનું ૨૦ મિલીયન યુનિટનું દૈનિક વીજ ઉત્પાદન શરૂ

paras joshi14/08/2022
14/08/20220

નર્મદા : કરજણ ડેમને પણ તિરંગાના ત્રણ રંગોની લાઇટિંગથી સજાવાયો, જુઓ અદભૂત નજારો

paras joshi14/08/2022
14/08/20220

છોટાઉદેપુર : બોડેલીના ચલામલી ગામે તિરંગા યાત્રા યોજાઈ

paras joshi14/08/2022
14/08/20220

નર્મદા : ડેડીયાપાડા ખાતે હીરાના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા, રૂ.71 લાખના હિરાની ચોરી કરી ફરાર

paras joshi13/08/202214/08/2022
13/08/202214/08/20220

બનાસકાંઠા : દાંતીવાડાના પાંથાવાડામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિરંગા યાત્રા યોજાઈ

paras joshi13/08/2022
13/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો