ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના ચીફ કે.સિવને ચંદ્રયાન-2ની લોન્ચિંગ પછી પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ચંદ્રયાન-2નું લોન્ચ સફળ રહ્યું. તે 48માં દિવસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. ઈસરો ચીફ કે. કે.સિવને કહ્યુ કે તે સમયે ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઐતિહાસિક સફર પર ચંદ્રયાન-2ને છોડવામાં આવ્યું. સફળ લોન્ચિંગ પછી GSLV-MK III-M1થી ચંદ્રયાન -2 અલગ થઈને આગળની તરફ વધતું જાય છે.
કે.સિવને જણાવ્યું હતું કે ચંદ્રાયાન-2 લોન્ચ અમારી વિચારસરણી કરતાં વધુ સારી હતી. તેની સફળ લોન્ચિંગથી ખૂશી છે. આ વૈજ્ઞાનિકોની સખત મહેનતનું પરિણામ છે, આ માટે બધા વૈજ્ઞાનિકોને સલામ છે.
રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. ત્યારે ઈસરો પણ ચંદ્રયાન-2ની સફળ લોન્ચિંગથી ખુશ છે.
તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 'ચંદ્રયાન- 2' નું લોન્ચિંગ આપણા વૈજ્ઞાનિકો અને 130 કરોડ ભારતીયોના વિજ્ઞાનના નવા સ્તરો નક્કી કરવાનો નિર્ણય દર્શાવે છે. આજે દરેક ભારતીય ગર્વ અનુભવે છે. '