जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • કરંટ અફેર્સ
  • અનામતનો ઈતિહાસ લોહિયાળ, ગુમાવ્યા અનેક લોકોએ જીવ
કરંટ અફેર્સ પોલીટીક્સ

અનામતનો ઈતિહાસ લોહિયાળ, ગુમાવ્યા અનેક લોકોએ જીવ

08/01/2020
Share0

અનામત મુદ્દે રાજકીય માહોલ ફરી એક વખત ગરમાયો છે.નરેન્દ્ર મોદીની સરકારે 10 ટકા સવર્ણોને અનામત આપવાનો નિર્ણય કર્યો છે. જોકે નરી વાસ્તવિક્તા એ છે કે અનામતની માગને લઈ અનેક વખત દેશનો માહોલ ગરમાયો છે. અનામતની માગને લઈ દેશના કેટલાય યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

સરકારે નિર્ણય જાહેર કર્યા બાદ. હવે અનામત કેવી રીતે આપવી તેના પર સંશોધન થઈ રહ્યું છે. ગણા રાજ્યોમાં અનામત મુદ્દે માગ ઉઠતી રહી છે.અને દેશ વ્યાપી આંદોલનો પણ થતા રહ્યા છે. આ તમામ પાસઓ વચ્ચે અનામતની આંધીનો ઈતિહાસ લોહીથી રંગાએલો છે.તે વાત ભુલવી ન જોઈએ.

OBC અનામત વિરૂદ્ધ
અનામતની માગને લઈ દેશમાં અનેક વખત ઘર્ષણો થયા છે. પહેલી વખત મંડળ કમીશનની ભલામણ વર્ષ 1990માં તાત્કાલીન પ્રધાનમંત્રી વી.પી સિંહે લાગુ કરી ત્યારે સવર્ણ સમાજે રસ્તા પર ઉતરી જઈ ભારે વિરોધ કર્યો હતો. અને OBC અનામતનો વિરોધ દેશ વ્યાપી કર્યો હતો. આ વિરોધ દરમિયાન દિલ્લી યુનિવર્સિટીના વિદ્યાર્થી રાજીવ ગોસ્વામીએ આત્મહત્યા પણ કરી લીધી હતી.જેના ઘેરા પ્રત્યાઘાતો પડતા અનેક જગ્યાએ તોડફોડ પણ થઈ હતી.

Advertisement

પટેલ આંદોલન

મોદી સરકાર સત્તામાં આવ્યા પછી દેશના જુદા-જુદા રાજ્યોમાં ફરી એક વખત અનામતની આગ પ્રજોલિત બની હતી. પ્રધાનમંત્રીના ગુજરાતમાં વર્ષ 2015માં પટેલ અનામતની માગ હાર્દિક પટેલના નેતૃત્વમાં આગળ વધી અને સમગ્ર રાજ્યમાં તેની અસર દેખાઈ હતી.જે બાદ હાર્દિક પટેલની ધરપકડ પણ થઈ હતી. હાર્દિક પટેલની ધરપકડ થતા ગુજરાતના 12થી વધુ શહેરોમાં પાટીદાર યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકારી જાગીરોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

જાટ આંદોલન

Advertisement

યુ.પી.એ સરકારે ચૂંટણી પહેલા જાટ સમુદાયને OBCની શ્રેણીમાં સ્થાન આપ્યું હતું. જોકે કોર્ટે આ નિર્ણયને રદ્દ કર્યો હતો. જેના વિરૂદ્ધમાં હરિયાણા સહિત મોટાભાગના રાજ્યોમાં જાટ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસક તોફાનો દેશભરમાં થયા હતા.આ આંદોલમાં 30 નાગરીકોએ જીવ ગુમાવ્યા હતા. તો રાજ્યમાં 34 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતુ.

ગુર્જર આંદોલન

રાજસ્થાનમાં ગુર્જર સમુદાયએ પણ અનામતની માગને લઈ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કર્યા હતા. વર્ષ 2008માં પોલીસ ગોળીબારમાં 20 આંદોલનકારીઓના મોત થયા હતા.જે બાદ પ્રદર્શનકારીઓએ રેલ્વેને બ્લોક કરી વિરોધ પ્રદર્શનો કર્યા હતા. 2015માં ફરી એક વખત ગુર્જર સમુદાએ અનામતની માગ ઉઠાવી અને રેલવેના પાટા ઉખેડી, આગચંપી જેવા બનાવોને અંજામ આપી રૂપિયા 200 કરોડથી વધુ સરકારની નુકસાન કર્યું હતું.

Advertisement

મરાઠા આંદોલન

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ લાંબા સમયથી ચાલી રહી છે. આ અનામતની માગને લઈ મહારાષ્ટ્રીયનો અનેક વખત રસ્તા પર ઉતરી ચુક્યા છે.વર્ષ 2018માં એક યુવકે આત્મહત્યા કરવાના પ્રયત્નો પણ કર્યા હતા.જે બાદ આંદોલનકારીઓએ આગચંપીના બનાવોને અંજામ પણ આપ્યો હતો. જે બાદ સ્થાનિક સરકારે આ દિશામાં સકારાત્મક નિર્ણય લેતા 16 ટકા મરાઠા અનામત બિલ પાસ કર્યું હતું.

 નિષાદ આંદોલન  

Advertisement

તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં નિષાદ અનામત આંદોલનને લઈ એક જવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ડિસેમ્બર 2018માં નરેન્દ્ર મોદી ગાજીપુરમાં રેલી સંબોધવા ગયા હતા. ત્યારે નિષાદ સમુદાયના લોકોએ રસ્તો જામ કરીને વિરોધ પ્રદર્શનો કર્યા હતા.જેમાં જવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. નિષાદ સમુદાયના લોકો S.Cમાં સામેલ થવા માટે અનેક વખત સંઘર્ષ કરી ચુક્યા છે.   

આંધ્રપ્રદેશમાં હિંસા

ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનામત આંદોલનો થયા છે. આંધ્રપ્રદેશમાં કાપુ સમુદાયે વર્ષ 2016માં OBC ક્વોટાની માગને લઈ હિંસક પ્રદર્શનો કર્યા હતા.જેમાં પોલીસકર્મી સહિત નાગરીકો ઘાયલ થયા હતા. 

Advertisement
Advertisement

Share0
પાછલી પોસ્ટ
ગરીબ કલ્યાણ મેળોઃ મદદ કે મજાક ?, બ્યુટી પાલરની કિટમાંથી ઓવન નિકળ્યા..!
આગળની પોસ્ટ
અલ્પેશ ઠાકોર આવતી કાલે રાહુલ ગાંધીને મળશે, સંગઠન મુદ્દે ચર્ચા

Related posts

ખેડૂતોની મદદ માટે વિશેષ ઝૂંબેશના શ્રીગણેશ, PM મોદીએ 100 કિસાન ડ્રોનનું કર્યું ઉદ્ધાટન; કહ્યું- કૃષિ ક્ષેત્રનો નવો અધ્યાય શરૂ

malay kotecha19/02/2022

વિજય સુવાળાએ ‘ઝાડું’ છોડી ‘કમળ’ ધારણ કર્યું, કહ્યું- હું મારા ઘરે પરત ફર્યો છું

ravi chaudhari17/01/2022

Assembly Election 2022: અત્યારસુધી આટલા મંત્રીઓ અને ધારાસભ્યો ભાજપ છોડી ચૂક્યા, અહીં જાણો સંપૂર્ણ યાદી

ravi chaudhari13/01/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક, દુનિયાભરના ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના; PM મોદીએ મદદની ખાતરી આપી

malay kotecha12/08/2022
12/08/20220

વર્કઆઉટ દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

malay kotecha10/08/2022
10/08/20220

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

એલર્ટઃ ગુજરાતના આ વિસ્તારમાં 15 અને 16 ઓગસ્ટે વરસી શકે છે ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના; વહીવટીતંત્ર સતર્ક

malay kotecha13/08/202213/08/2022
13/08/202213/08/20220

જાણો કોણ છે સલમાન રૂશ્દી? જેમના પુસ્તકે દુનિયાભરમાં મચાવ્યો હતો હંગામો; 4 લગ્ન કર્યા છતા આજે છે એકલા

kaushal pancholi13/08/2022
13/08/20220

ઐતિહાસિક ક્ષણઃ પાવાગઢ મંદિરમાં ઈતિહાસમાં પ્રથમ વખત આરતી બાદ કરાયું રાષ્ટ્રગાન, નિજ મંદિરમાં છવાયો દેશભક્તિનો રંગ

malay kotecha13/08/202213/08/2022
13/08/202213/08/20220

13 ઓગસ્ટ 2022નું રાશિફળઃ કર્ક રાશિવાળા આ કામ કરવાથી બચે, જાણો કેવો રહેશે તમારો શનિવાર

kaushal pancholi13/08/2022
13/08/20220

ફરી મેઘરાજાની જોરદાર બેટિંગ, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

paras joshi12/08/2022
12/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો